SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ માખી વશના-અંત ઃ ૩૬૩ જૂનાગઢવાળાં બેગમ નવાબ સાથે કરાંચી ગયેલાં નહિ, તે તથા તેના પુત્રા જૂનાગઢમાં રહી ગયા હતા. તેના કુમાર હિંમ્મતખાન નવાબના દ્વિતીય પુત્ર હતા અને નવાબની સાથે યુવરાજ પણ નસી ગયેલા એટલે ગાદીના વારસદાર હિમ્મતખાન હતા. જે તે હિન્દ સધ સાથેનું જોડાણ સ્વીકારે તા તેને નવાબ તરીકે જાહેર કરવા પ્રના એક વગદાર વગે` પ્રવૃત્તિ કરી. તા- વિચાર આકાર લે તે પહેલાં આ વાત ફૂટી ગઈ અને સર શાહનવાઝ ભુટ્ટોએ, આ બેગમ તથા તેના પુત્રા અને પુત્રીને રાતારાત કરાંચી રવાના કરી દીધાં. દીવાને રાજત ંત્રમાં પણ આવશ્યક ફેરફારા કર્યાં. ચીફ એકાઉન્ટસ ફ્રિસર શ્રી એ. કે. વાયુ. અગ્રેહાનીને કાઉન્સીલમાં સભ્યપદે લીધા. રેવન્યુ કમિશનર ખાનથી મુત'ઝાખાનજીને ચીફ એકાઉન્ટસ એફિસર પદે મૂકયા અને ડેપ્યુટી રેવન્યુ કમિશનર શ્રી બીનહમીદને રેવન્યુ કમિશનર બનાવ્યા. નેકરીમાંથી લાંબી રજા ઉપર ઉતરેલા. શ્રી ફરીદખાખરને ડેપ્યુટી રેવન્યુ કમિશનર બનાવ્યા. પેાલીસ કમિશનર ખા. બ. મહમદહુસેનશાહ નકવીએ પણ તેના ખાતામાં મુસ્લિમ એ સિરાને જવાબદાર સ્થાને મૂકયા. જેમ જેમ એગસ્ટ માસ આગળ વધતા ગયા તેમ તેમ પ્રજામાં ભય વધતા ગયેા. સિંધ અને પંજાબમાં, કામવાદનાં પ્રચંડ તાંડવના પ્રારંભ થયા છે, ત્યાં શાતિની સરિતાએ વહી રહી છે, સ્ત્રીઓનાં અપહરણા થઈ રહ્યાં છે અને મિલકતા લૂંટાઈ રહી છે, તેવા સમાચારા વર્તમાન પત્રામાં વાંચી, જૂનાગઢમાં તેમ થશે તા શુ થશે વિચારે, કેાઈના પણ માર્ગ દર્શન વગર કાઈના પણ પ્રગટ નેતૃત્વ વગર હિન્દુ પ્રજાએ સામુદાયિક સ્થળાંતર શરૂ કર્યુ. પોતાના વહાલા વતન, ઘરબાર, રાચરચીલું. સ્નેહાળ સંભારણાં વગેરે બધુ... મૂકી તે ભારતના અન્ય પ્રદેશામાં જવા માંડી. જુનાગઢ રાજ્યની સરકારે પણ હિજરત કરતી પ્રજા ઉપર અમાનુષી જુલમ અને ત્રાસ ગુજારવામાં બાકી રાખી નહિ. સ્ટેશન ઉપર પોલીસ, કસ્ટમના કમ ચારીએ અને જમીયતુલ મુસ્લમીનનાં સ્વયં સેવાના પહેરા ચડયા. બહાર જતા પ્રજાજનેાના સામાના ચૂંથાવા લાગ્યા અને સેાના રૂપા કે દર દાગીના પડાવી લેવામાં આવ્યાં. તેની પહોંચ પણ આપવામાં આવી નિહ. કપડાં અને પછીથી તા ભાતું પણ લઈ લેવામાં આવતું. એટલાથી સ ંતાષ ન પામતાં, તેમની અંગ ઝડતી પણ લેવાનું શરૂ થયું. એક ભાઈએ તેની પત્નીની અંગ ઝડતી એક પુરુષ સ્વયંસેવકે કરવા જતાં તેણે વાંધા લીધેા ત માટે તેને મરણુતાલ માર મારવામાં આવ્યા. આવા અનેક કિસ્સાઓ કાઈ પણ દફતરે નોંધાયા વગરના લાક॰ન્હાએ પ્રચલિત થયેલા છે. બાવા સાધુઓને તા નજરે જોઈ ન શકાય તેવા માર મારવામાં આવતા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy