________________
બાબી વંશને-અંત ઃ ૩૬૧
સભ્ય રા. બ. શિવદત્તરાય માંકડે તે પ્રથમથી જ વિરોધ વ્યક્ત કરી નિવૃત્તિ લઈ લીધી હતી. નવાબના વિશ્વાસ અને પ્રખર રાજપુરુષ કેપ્ટન ડો. પ્રેમરાય મજમુદારને દિલ્હી મોકલેલા. તેણે આવીને ત્યાંનું વાતાવરણ તથા ત્યાંના રાજપુરુષોની લાગણીની વાત કરી હિન્દી સંધમાં જોડાવા મત આપતાં તેના માટે પણ રાજમહેલનાં દ્વાર બંધ થયાં.
દીવાન અલકારે, હિન્દી સંધમાં જૂનાગઢ જોડાવું જોઈએ તે અભિપ્રાય આપેલ અને તે તથા તેના ભાઈ રાજ્યના રાજદ્વારી સલાહકાર ખા બ. નબીબશે, ભારત સરકારના મેવડીઓને મળી જૂનાગઢનું સ્થાન નક્કી કરેલું તે ગુનાસર કે ગમે તે કારણે સર શાહનવાઝ ભુટોએ તેના બંગલાને સીલ કરી દીધાં. ખા. બ. અબ્દુલકાદર અમેરિકા હતા તેથી તેને કંઈ થઈ શકે તેમ હતું નહિ તેથી તેના ભાઈને નોકરીમાંથી દૂર કર્યા. દરમ્યાન કરાંચીથી મહમદ ઝફરલાહ જુનાગઢ આયા અને તેની તથા નવાબની મુલાકાત કરાવી તેની પાસે નવાબને નિર્ણય ઇષ્ટ છે તેવી ખાત્રી આપવી.
જૂનાગઢમાં જમીયતુલ મુસ્લીમીને પાછી જાગૃત થઈ અને શ્રી ઈસ્માઈલ અબ્રેડાની, કાઝી મહમદમીયાં અખ્તર, શ્રી અબા મહમદ બાજુદ વગેરે આગેવાને સર શાહનવાઝને સહાય કરવા બહાર પડયા.
આ સંક્રાંતિ કાળને ઈતિહાસ ગુપ્ત વાતાથી ભરેલો છે અને તેની વિગતો ઉપલબ્ધ છે છતાં તેનું પ્રકાશન હિતાવહ નથી તેમ આવશ્યક નથી પરંતુ તે સર્વે વણનેને સારાંશ એ છે કે, નવાબને તેના સલાહકારો તરફથી એવું કહેવામાં આવ્યું હોવાનું કહેવાય છે કે હિન્દી સંધ સાથેનું જોડાણ જે તેઓ સ્વીકારશે તે તેના વારસાને, ધર્મને તથા મોભાને વિપરીત અસર થશે. જુનાગઢ રેલવેના મેનેજર શ્રી જે. એમ. પંડયા તથા કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રિઝના મેનેજીંગ ડીરેકટર શ્રી મુસા ઉમર દરબાન દિલ્હી તથા કરાંચી જઈ આવ્યા પણ ત્યાં તેઓ શું કરી આવ્યા તે પ્રગટ થયું નહિ.
સર શાહનવાઝે, મહાલેના આગેવાનોને જૂનાગઢ આમંચ્યા અને તેઓની પાસે, પાકીસ્તાન સાથેના જોડાણને સ્વીકાર કરાવવા કોશિશ કરી પરંતુ જૂનાગઢના આગેવાનોને આ સમાચાર મળી જતાં આ તાલુકા આગેવાનોને વાસ્તવિક હકીકત સમજાવી તેથી તેઓએ એક નિવેદન તૈયાર કર્યું અને તેમાં જણાવ્યું કે જૂનાગઢનું જોડાણ હિન્દી સંધમાં જ થવું જોઈએ. આ નિવેદન સ્વ. શ્રી દયાશંકર દવેએ દીવાનને રજૂ કર્યું. જ. મિ-૪૬