________________
૩૬૦ : જૂનાગઢ અને ગિરનાર
નિર્ણય અને રાજદ્વારી સલાહકાર ખા. બ. નબીબક્ષની સલાહને અવગણી પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકારવા નિર્ણય લીધો. આ સમયે તેણે જુદા જુદા અમલદારને દિલ્હી મોકલ્યા અને આવે અણીને સમયે પણ જાતે જવાની તસ્દી લીધી નહિ. તે સાથે પાકીસ્તાન તરફી વલણના સલાહકારોએ તેમને પાકીસ્તાનમાં ભળવા સલાહ આપી. આ દિવસોમાં નવાબે એકાંતવાસ સેવવા માંડ અને કોઈને પણ મુલાકાત આપવાને તેણે સ્પષ્ટ ઈનકાર કર્યો.
જૂનાગઢ રાજ્યની પ્રજામાં ૮૨ ટકા હિંદુઓ હતા. જૂનાગઢ રાજ્ય ભૌગોલિક રીતે ભારતને અવિભાજ્ય ભાગ હતો. પાકીસ્તાન સાથે તેને કેઈપણ પ્રકારે સીધે સંબંધ રહી શકે એમ હતું નહિ. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અસમાનતા હતી ત્યાં બાબી વંશની સ્થાપનામાં, જૂનાગઢ રાજ્યના વિકાસમાં અને ઉત્કર્ષમાં હિન્દુઓને ફાળે હતા તે બધું વીસરી જઈ પાકીસ્તાનમાં ન ભળવા, જે રાજાએ સદા નવાબના મિત્રો હતા અને તેના સુખ દુઃખમાં સાથે રહ્યા હતા તેમણે સલાહ આપી. પરંતુ નવાબ મહાબતખાનનું ભાવિ તેને ભુલાવી. રહ્યું હતું, તેથી તેણે કેઈની પણ સલાહ માની નહિ.
દરમ્યાન કાઠિયાવાડ રાજકીય પરિષદે આ કૃત્રિમ જોડાણને વિરોધ કર્યો અને નવાબ સમજી જશે એ વિશ્વાસ રાખી પરિષદે શ્રી ઉછરંગરાય ઢેબરને જૂનાગઢ મોકલ્યા પણ નવાબે તેમને મુલાકાત આપી નહિ. - ઈ. સ. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે રાજ્યની સરકારે જૂનાગઢ રાજયે પાકીસ્તાન સાથેનું જોડાણ સ્વીકાર્યું છે એવી જાહેરાત કરી અને તે સાથે માણાવદર, સરદારગઢ, બાટવા અને માંગરે છે પણ પાકીસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી, એક પાજોદ દરબારે હિન્દી સંઘમાં જોડાવા તેની ઈચ્છા પ્રદર્શિત કરી.
જૂનાગઢની પ્રજા ભયભીત થઈ ગઈ. તેને કોઈ દોરવણી આપનાર પ્રગટ નેતા ન હતા. સર્વે પિતપોતાની રીતે, નવાબના આત્મઘાતી પગલાંથી જૂનાગઢને સર્વનાશ થશે અને તેમાંથી કેમ બચવું તેને વિચાર કરી રહ્યા હતા, પરંતુ બંધારણીય રીતે તેને કોઈ ઉકેલ દ્રષ્ટિગોચર થતા ન હતે.
રાજ્યની કાઉન્સીલમાં જ્યારે આ ઠરાવ ઉપર મંજૂરીની ઓપચારિક મહોર મારવાની હતી ત્યારે કાઉન્સીલના એક માત્ર હિન્દુ સભ્ય રા. બ. ધરમદાસ હીરાનંદાણીએ આ કૃત્રિમ, અસ્વાભાવિક અને આત્મઘાતી જોડાણને વિરોધ કર્યો અને તે વિરોધના કારણે તેને રાજીનામું ધરી દેવું પડયું અને તા ૧૭મી ઓગસ્ટે જૂનાગઢ છોડી ચૂપચાપ ચાલ્યું જવું પડ્યું. કાઉન્સીલના સહુથી જૂના