________________
બાબી વંશને-અંત : ૩૫૭
કૂતરાઓને શિકાર માટે, ચોકી માટે, રમતો માટે, અને કસરત માટે કેળવવામાં આવતા. કૂતરાઓ મરી જાય ત્યારે તેમને ખાસ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવતા. કેઈ કૂતરો બગડી જાય તે બંદૂકની ગોળીથી તેને પ્રાણ લેવામાં આવતે 1
નવાબે કૂતરા કૂતરીનાં લગ્ન કર્યા હતાં તેવી એક વાર્તા બહુ વર્ષોથી પ્રચલિત છે. ઈ. સ. ૧૯રમાં પિતાનાં પ્રથમ લગ્ન થવાનાં હતાં તે પ્રસંગે, રાજકુળોમાં રિવાજ હોય છે તેમ લગ્ન પૂર્વે નજર કાઢવા કેઈ પ્રાણીનાં કે ગુલામનાં લગ્ન કરવાને વહેમ છે, “આ વહેમ અનુસાર વૃદ્ધ માણસોએ આ પ્રમાણે નજર કાઢેલી તેને વર્તમાન પત્રોએ અપૂર્વ પ્રસિદ્ધિ આપી તે વાર્તાને ફેલાવો કર્યો. વાસ્તવિક રીતે રાજકુટુંબમાં પ્રત્યેક શુભ પ્રસંગે આવાં લગ્ન કરાવવામાં આવતાં.
નવાબ મહાબતખાનને નાટક સિનેમાનો કે નાચ મુજરા કે સંગીતને શેખ ન હતા પણ પાછળથી નાટકને શોખ એટલે જ તીવ્ર બન્યું. તેણે પોતાની ખાનગી નાટકશાળા બંધાવેલી અને પોતે પસંદ કરેલાં પ્રેક્ષકેની રૂબરૂમાં શ્રી મણિશંકર પિપટલાલ રાજગોર, શ્રી નંદલાલ, શ્રી અમૃતલાલ વગેરે કલાકારોએ ખાસ તૈયાર કરેલાં નાટકે પોતે ભજવતા. તેમાં પ્રજાની કોઈ વ્યક્તિને કે અધિકારીને પ્રવેશ મળતા નહિ.
પાલિતાણું ભક્તિ પ્રદર્શક નાટક મંડલીના માલીક શ્રી મણિશંકર ભટ્ટ માત્ર ભક્તિ પ્રધાન નાટક ભજવતા તેથી તેના ઉપર નવાબ મહાબતખાનની કૃપા હતી. ઈ. સ. ૧૯૩૭ માં ભાયાવદરમાં થીએટરમાં આગ લાગતાં ફરીથી ઊભી ન થઈ શકે એવું નાટક મંડળીને નુકસાન થતાં નવાબે શ્રી મણિશંકર ભટને જૂનાગઢ બોલાવી રહેવા માટે મકાન આપ્યું તથા માસિક પેન્શન બાંધી આપી પિતાને કલાપ્રેમ અને કદરદાની પ્રદર્શિત કર્યા.
1 જે કૂતરાઓ મૃત્યુ પામે કે મારી નાખવામાં આવે તેને દફન કરવામાં આવતા. આવું
એક કબ્રસ્તાન જન સેક્રેટરીયેટ પાસે જોવામાં આવે છે. [2 નવાબે કૂતરા કૂતરીનાં લગ્ન કર્યા તે પ્રસંગની કાલ્પનિક નેંધ શ્રી જમનાદાસ નામના
પંજાબી રાજપુરુષે તેના મહારાજા નામનાં પુસ્તકમાં લીધી છે, તેમાં જે નામો આપ્યાં
છે તથા જે વર્ણન આપ્યું તે સર્વથા કાલ્પનિક અને અંધાધૂન ખોટું છે. 3 શ્રી મણિશંકર રાજગોર પાછળથી ખાનગી ખાતામાં અધિકારી હતા.