________________
૩૫૬ : જૂનાગઢ અને ગિરનાર
માઈલની ઝડપે શહેરમાં ચાલતી, પગે ચાલતા લેકોને તકલીફ ન પડે તે માટે ધ્યાન રાખતા.
તેઓ નિમાજ પડતા પણ ઈદની નિમાજમાં બહુ જતા નહિ. દર સોમવારે અને ગુસ્વારે નીચેના દાતારની જગ્યામાં ફાતેહા માટે જતા. એકવાર મીરાંદાતાર, એકવાર ઉનાના હઝરતશાહ તથા એકવાર આમરણના દાવલશાહ પીરની જગ્યાઓ ઉપર માનતા ઉતારવા ગયેલા.
તેમના અંગત સ્ટાફમા હિંદુ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ હતા. તેમના અંગત ડોકટરે પણ હિંદુઓ હતા. તેમની ધાર્મિક લાગણી ન દુઃખાય તે માટે તે બહુ તકેદારી રાખતા.
મુસ્લિમ હોવા છતાં હિન્દુ દેવસ્થાનેને તે આદર કરતા તથા તેના મહંત, સંત સાધુઓ કે ભક્તોને ઉપદ્રવ કરતા નહિ તેમ કઈ તેવો ઉપદ્રવ ન કરે તેની તકેદારી રાખતા. હિન્દુ ધર્મસ્થાનોને તથા ગ્યાધારીઓને ધર્માર્થ દાન કરતા અને ધર્મની જગ્યાના પૈસા પોતે લેતા નહિ. હિન્દુ સંતપુરુષને તેઓ વંતા.
તેમને ગાય, ભેંસ, બકરાં વગેરે દુધાળાં પશુઓ પાળવાને શોખ હતો. ગાયોને તે તે મા' કહીને જ બોલાવતા. કપિલા અને જાનકી તેની માનીતી ગાને સાથે જ રાખતા. તેના ખાનગી ફાર્મમાં ગિર જાતની બહુમૂલ્ય ગાયે રહેતી. તેમને પશુ પ્રેમ તેમને કુમાર વયથી જ હતું. તેઓ ગાદી નશિન થયા ત્યારે સર ચાર્લ્સ ઓલીવને તેને ઉદેશીને તેના વક્તવ્યમાં કહેલું કે, આપનાં પશુઓનાં ધણ, આપના તબેલાઓ, વાડાઓ, અને ખેતરમાં આપ મસ્કુલ રહ્યા છે...” “રાજકર્તા (નવાબ) કાઠી ઘોડાનાં લક્ષણે જાણે છે અને ગુણોની પ્રસંસા કરે છે... “પિત સ્થાનિક ઢરનું ધણ વસાવ્યું છે.'
આ શખ તેમને છેવટ સુધી રહ્યો. તેમના ફાર્મમાં આવેલા ખૂટએ અને ગાયોએ અખિલ ભારત સ્પર્ધામાં અનેકવાર પ્રથમ ચંદ્રક મેળવેલા. બહેરામ, પ્રિન્સ અને બ્રાઉનબોય નામના ખૂટોએ પ્રથમ પારિતોષિક મેળવેલાં.
નવાબને પશુઓ કરતાં કૂતરાઓને શેખ સવિશેષ હતો. જગતના દરેક દેશનાં વંશજ્ઞાત બહુમૂલ્ય ધાને ખરીદ કરી તેની શ્વાનશાળામાં રાખેલા. આ
1 ડે. હરિશંકર પ્રાગજી, ડે. દિલસુખરાય વસાવડા, ડે. ઝવેરીલાલ વસાવડા, ડે.
મગનલાલ માધવજી, ડો. ચંદ્રકાન્ત છાયા વગેરે તેમના ખાસ ડોકટરો હતા. શ્રી મણિશંકર રાજગર, શ્રી રતીભાઈ ભટ (ફેટોગ્રાફર) શ્રી નંદલાલ વગેરે અંતેવાસીઓ હતા.