SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને–અંત : ૩૫૫ અંગત ૧૫ તેપનું માન આપવામાં આવેલું. તેઓ ઇન્ડિયન રેડક્રેસ સે સાયટીના માનદ્ ઉપપ્રમુખ અને ઈ. સ. ૧૯૪૪-૪પમાં ચેમ્બર ઓફ પ્રિન્સીસની સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય હતા. રજત જયંતી ઈ. સ. ૧૯૪૫માં નવાબ મહાબતખાનને સત્તાનાં સૂત્રો સંભાળે ૨૫ વર્ષ પૂરાં થતાં, પ્રજના અગ્રેસર અને અધિકારીઓની એક સીલ્વર જ્યુબિલી કમિટી નીમવામાં આવી. આ કમિટીએ રૂપિયા છ લાખનું ભંડોળ એકત્ર કરી નવાબને નજરાણા રૂપે ધવું. તારીખ ૩૧-૩-૧૯૪પના રોજ નવાબ ચાંદી સામે ખાયા અને આ ચાંદી ધર્માર્થ કાર્ય માટે આપી દેવાની જાહેરાત કરી. આ પ્રસંગે પ્રા તરફથી આપવામાં આવેલા માનપત્રના જવાબમાં નવાબે નવાજેશો કરી તેમાં પ્રજામંડલે મૂકેલી કેટલીક માગણીઓ સ્વીકારવામાં આવી તથા કાર્ય કર્તાઓને બીન શરતે માફી આપી અને જેમના ઉપર કેસો કરવામાં આવેલા તેમની સામેના કેસ પાછા ખેંચી લઈ મુક્ત કરવામાં આવ્યા. ગામડાંઓમાં પંચાયતની સ્થાપના કરી તેને કેટલાક અધિકાર આપવાની અને સુધરાઈઓમાં પ્રજાકીય સભ્યોને સવિશેષ અધિકાર આપવાની પણ ઘેરણા કરી. સીવર જયુબિલી પ્રસંગે પ્રત્યેક મહાલમાંથી જે ફંડની રકમ એકત્ર થઈ તે ફંડની રકમ જેટલી જ રકમ રાજ્ય ઉમેરી જે તે મહાલમાં જે કાંઈ સાર્વજનિક કાર્ય કરવામાં આવે તેમાં વાપરવાની પણ જાહેરાત કરવામાં આવી. અંગત શોખ - નવાબ મહાબતખાનને કેઈ બંધાણ હતું નહિ તેઓ સીગારેટ પીતા નહિ કે તમાકુ પણ ખાતા નહિ દારૂ માટે તે તેમને સખત નફરત હતી. તેઓ નિયમિત રીતે ફરવા જતા અને ખોરાક પણ સાદા અને નિયત સમયે લેતા. તેઓ સારા નિશાનબાજ અને ઘોડેસવાર હતા. પોલની રમત તેમની યુવાનીમાં બહુ સારી રમત. શિકારને તેમને શોખ હતો પરંતુ તેઓ કવચિત શિકારે જતા. શિકારમાં રોઝ, હરણ, સાબર વગેરે પશુઓ પાછળ કૂતરાઓ છોડી તેને બહુ દુર રીતે શિકાર કરતા. ગિરના સિંહ, દીપડાઓ આદિ પ્રાણીએના શિકાર ઉપર પિતે અંકુશ મૂકેલો. પતિ મેટર ચલાવતા હોય કે પોતે બેઠા હોય ત્યારે મોટર પાંચથી સાત [1 આ જાહેરાત, જાહેરાત જ રહી તેને સર્વાશે અમલ થયો નહિ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy