SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ = જાવાગઢ અને ગિરનાર નવમા અને અંતિમ લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણીના પુત્ર અને પિતાના સાળા બહાદરખાનની પુત્રી સદા સુલતાના કે જે હઝુર બેગમ તરીકે ઓળખાતાં તેની સાથે થયાં. તેને ગુલામ સૈયદ અલીખાન (તા. ૨૮-૧૧૯૪૭) નામે પુત્ર થયો - આ ઉપરાંત છ–સાત બાળકે બાલ્યવયમાં ગુજરી ગયેલાં એટલે તેઓ ઈ. સ. ૧૯૪૭માં કરાંચી નાસી ગયા ત્યારે ૮ પુત્રો અને ૧૦ પુત્રીઓ તેમની સાથે ગયાં. ત્યાં ગયા પછીની વિગત ઉપલબ્ધ નથી. સંતાનેનાં લગ્ન નવાબનાં મોટાં કુંવરી તાજબન્નેનાં લગ્ન ઈ. સ. ૧૯૪૦માં ભોપાલના એક ગૃહસ્થ સાથે થયેલાં પણ તેમને તલાક થતાં બીજાં લગ્ન પાછળથી નવાબના મામાના દીકરા યાસીનખાન સાથે કરવામાં આવેલાં. નવાબનાં બજ કુંવરી ઈનાયતખ્તનાં લગ્ન તા. ૧૧-૧૧-૧૯૪પના રેજ બાટવા દરબાર શેરખાનના પુત્ર ગુલામમોશુદીનખાન સાથે તથા ત્રીજાં કુવરી નુરબખ્તનાં લગ્ન તેજ તારીખે સરદારગઢ દરબાર ગુલામમોહ્યુદીનખાન વેરે થયેલાં. નવાબના યુવરાજ દિલાવરખાનનાં લગ્ન તા. ૩-૧ર-૧૯૪૫ના રોજ ભોપાલના શફાક્ત અલીખાનનાં પુત્રી શફીકજહાન વેરે થયેલાં. તેમાં પણ પાછળથી તલાક આપવામાં આવેલી. પાકીસ્તાન ગયા પછી આ કુટુંબમાં થયેલા લગ્ન આદિની કોઈ માહિતી મળી નથી. રાજમાતા નવાબ મહાબતખાનના માતા આશ્માબીબી તા. ૧-૬-૧૯૨૭ના રોજ તથા નવાબનાં બહેન લાલબતે તા. ૧૩–૧૦–૧૯૨૪ના રોજ જન્નત નસીન થયાં. દકિબ-માન નવાબ મહાબતખાનને, સાર્વભૌમ સત્તાએ તા. ૧-૧-૧૯૨૬ના રોજ કે. સી. એસ. આઈ. અને તા. ૧-૧-૧૯૩૧ના રોજ જી. સી. આઈ. ઈ. ના ચંદ્રક આપેલા. તે ઉપરાંત ઈ. સ. ૧૯૩૭માં તેમને બ્રિટિશ સેનાના માનદ્દ કેપ્ટન તથા ઈ. સ. ૧૯૪રમાં માનદ્ મેજરના હેદાઓ પણ પ્રદાન કરેલા. જૂનાગઢના નવાબને ૧૩ તેનું માન હતું પણ નવાબ મહબતખાનને
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy