________________
બાબી વંશન-અંત : ૩૫૩
લગ્ન-સંતાને
તેમનાં પ્રથમ લગ્ન તારીખ ૩-૪-૧૯૨૧ના રોજ ભોપાલના શ્રી સાતમહમદખાનનાં પુત્રી મુનવરજહાં સાથે થયાં. વલીએહદ-યુવરાજ-દીલાવરખાન તેના પ્રથમ સંતાન હતા. તેમને જન્મ તારીખ ૨૩-૬-૧૯૨૨ના રોજ થયે હતું. તે પછી આ બેગમને તાજબખ્ત (તા. ૧૯-૬-૧૯૭૨) અને ઉમરાવ બબ્બે (તા. ૨-૧૧-૧૯૨૫) નામની પુત્રીઓ થઈ. આ બેગમ ભોપાળવાળાં બેગમ તરીકે ઓળખાતાં.
તેમનાં બીજાં લગ્ન જૂનાગઢના શેખ અબ્દલાભાઈનાં પુત્રી એમનાબેગમ સાથે થયાં. તેઓ જૂનાગઢવાળાં બેગમ તરીકે ઓળખાતાં. તેમને હિમતખાન (તા. ૧૬-૨-૧૯૨૪), સખાવતખાન (તા. ૧૮-૧૧-૧૯૩૧) યુસુફખાન (તા. ૧૮ ૭–૧૯૩૪) અને અનવરખાન (તા. ૧૦-૬-૧૯૩૫)નામના પુત્ર તથા રાહતબખ (તા. ૧૭-૪-૧૯૨૮) નામનાં પુત્રી થયાં.
ત્રીજાં લગ્ન જમાદાર સરૂર નામના સીદી ગૃહસ્થની પુત્રી મોતીબુ વેરે થયાં અને ચોથાં લગ્ન કુતિયાણાના કાઝી હુસેનમીયાંની પુત્રી સકીનાબુ વેરે થયાં તે બન્નેને તલાક આપવામાં આવી.
નવાબ મહાબતખાનના પાંચમાં લગ્ન જૂનાગઢના આરબ અબા હામેદ- * ભાઈના પુત્રી ગદુમા સાથે થયાં. તેમને પણ કાંઈ સંતતિ હતી નહિ. છઠ્ઠાં લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણના પુત્રી અમનબુ સાથે થયાં. તે કુતિયાણાવાળા બેગમ સાહેબ તરીકે જાણીતાં હતાં. તેનાથી ઈનાયાબતે (તા. ૧૭ ૯૧૯૨૭) નુરબખ્ત (તા. ૪-૮-૧૯૩૦), સુલતાનબત્ત (તા. ૧૦–૩–૧૯૩૩). નામની પુત્રી થઈ.
સાતમા લગ્ન માહેલકાજહાં નામનાં એક બાઈ સાથે થયા. તેમને કુલસુમબખ્ત (તા. ૧૯-૧૧-૧૯૨૯) નામે પુત્રી થઈ અને થોડાજ માસમાં આ બેગમ ગુજરી ગયાં.
આઠમાં લગ્ન કુતિયાણાના હબીબખાન સરવાણીના બીજા પુત્ર દાદબુ સાથે થયાં જે રાણી સાહેબ અથવા મહાબતપરાવાળાં બેગમ સાહેબ તરીકે ઓળખાતાં. તેમને ગુલામમહમદખાન (તા. ૨૯-૯-૧૯૩૩), સાદીકમહમદખાન (તા. ૩-૪-૧૯૪૩) નામના પુત્રો તથા મુબારકબખતે (તા. ૧૦-૬-૧૯ ૫) ફાતિમાડરા બખતે (તા. ૨૦–૮–૧૯૪૧) અને ઈકબાલબતે તા. ૧૪-૧૧૧૯૪૪) નામની પુત્રીઓ થઈ. જ. ગિ -૪૫