________________
બાબી વંશને-અંત ઃ ૩૪૮
રાખ્યું. જૂનાગઢના પણ અમદાવાદ અને પછીથી દિલ્હીમાં વસતા શ્રી નરેન્દ્ર નવલશંકર શુકલનું નામ સંગીત સ્વામી તરીકે ભારતમાં મશહુર થયું છે. જૂનાગઢમાં આ સમયમાં સેનિયા ઘાણાના ઉસ્તાદ ગુલામઅલી કામીલ અને કીરાણા ઘરાણાના ઉસ્તાદ અબ્દુલકરીમખાં રહેતા, જેમનો ઉલ્લેખ પણ આવશ્યક છે.
જૂનાગઢના માંડણજી ઉફે મદનજીત વેરાએ બર્માને ગાંધીજીનું બીરૂદ મેળવી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીવનની આહુતિ આપી જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે.
જૂનાગઢના રાજદ્વારી ક્ષેત્રમાં પ્રત્યક્ષ ન હોવા છતાં એક પ્રખર રાજપુરુષ તરીકે નામના પામેલા શ્રી ગિરધરલાલ માધવલાલ ધોળકિયા કાઠી રાજ્યોના કારભારી પદેથી નિવૃત્ત થઈ જૂનાગઢમાં વસતા. તેઓ એક મહાન મુત્સદ્દી તરીકે રાજ્યકાજમાં સલાહ સૂચન માટે આદર પામેલા.
જૂનાગઢના રાજકારણમાં પ્રજાકીય નેતૃત્વ માટે શ્રી નૃસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટી, શ્રી ઈદુલાલ જાદવરાય વસાવડા, શ્રી નરોત્તમદાસ લાલજી શેઠ. શ્રી પ્રભુદાસ નાગજી વખારીયા, શ્રી સુંદરજી શામજી પરમાર વગેરે વ્યક્તિઓ ઉલ્લેખનીય છે. શેઠ અબ્દુલહુસેન મુલાં છવાજી, શ્રી જેઠાલાલ રૂપાણી, શ્રી વેણીલાલ નાણાવટી, શ્રી પ્રભુદાસ બળીયા વગેરે નેતાઓ પણ પ્રજાના પ્રના ઉકેલમાં અગ્રીમ ભાગ લેતા.
1 આ ઘરાણામાં આજે શ્રી અરૂણ સેવકે શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યા છે અને પરંપરા સજીવન રાખી છે, એ જ રીતિક લાના ક્ષેત્રમાં શ્રી વૃંદાવન
સોલંકીએ જૂનાગઢનું નામ ઉજજવલ કર્યું છે. 2 જાનાગઢમાં ઈ. સ. ૧૮૬૦માં જન્મેલા માંડણજી ઉર્ફે મદનજીત મયાશંકર વોરા ગાંધીજીની
સાથે આફ્રિકામાં રહી ઈન્ડિયન ઓપીનિયન નામના પત્રનું સંપાદન કરતા, ત્યાંથી સ્વદેશ પાછા ફરી બર્મા ગયા અને ત્યાં યુનાઈટેડ બર્મા નામનું પત્ર પ્રકાશિત કરી હિન્દીઓના પ્રશ્નોની ચર્ચા કરતા અને ત્યાંની સરકારની ખફગી વહોરી કારાવાસ વેઠેલો. ત્યાંથી જુનાગઢ આવી ઈ. સ. ૧૯૩૨માં એક શાળા શરૂ કરેલી પણ વિશેષ સમય રહેવું યોગ્ય ન લાગતાં તે પુનઃ બર્મા ગયા અને બ્રિટિશ શાસન વિરોધી ચળવળમાં ભાગ લઈ જેલમાં ગયા અને જેલવાસ દરમ્યાન ઈ. સ. ૧૯૩૨માં તેને દેહાંત થયો. જુનાગઢના આ સપુને બર્માના ગાંધીનું બીરૂદ મેળવી જૂનાગઢનું નામ ઉજ્જવલ કર્યું છે,