________________
૩૪૮ : જૂનાગઢ અને ગિરનાર
વૈદિક ધર્મના સંસ્કાર ઝીલી પિતાની વિદ્વતાથી ભારતમાં તેમજ આફ્રિકામાં વૈદિક ધર્મના પ્રચારક વક્તા, કવિ, નાટયકાર, વિવેચક, શિક્ષણ શાસ્ત્રી અને સુધારક વિદ્વાન મહારાણશંકર અંબાશંકર શર્મા અને તેમનાં વિદુષી ધર્મપત્ની શ્રીમતી ઈચ્છાદેવી તેમજ પંજાબ આર્યસમાજ અને અમદાવાદ આર્ય સમાજના ઉપદેશક, પ્રભાસપાટણ નિવાસી પંડિત મહાશંકર ઈશ્વરજી તથા પૂર્વાશ્રમના પ્રભાસપાટણના શાસ્ત્રી કરૂણાશંકર રત્નજી ભટ્ટ સન્યસ્ત લીધા પછી હરદ્વાર પ્રદેશમાં પૂજનીય મહાત્મા તરીકે અતિ આદર પામેલા તે સ્વામી સેમેશ્વરાનંદ તીર્થ ઉલ્લેખનીય વ્યક્તિઓ છે.
પત્રકારિત્વના ક્ષેત્રે બેખે ક્રોનિકલના સહતંત્રી અને નિડર પત્રકાર શ્રી છગનલાલ પરમાણુંદદાસ નાણાવટી, સયાજી વિજય-વડોદરાના તંત્રી શ્રી હરિરાય ભગવંતરાય બૂચ, માતૃભૂમિ-અમદાવાદ–ને તંત્રી શ્રી શંકરપ્રસાદ નાણાવટી, વિશ્વમંગલના તંત્રી શ્રી મંગલજી ઉદ્ધવજી શાસ્ત્રી, ટાંગાનીકા ટાઈમ્સ–આફ્રિકા અને પાછળથી સાધના–રાજકોટ–ના તંત્રી શ્રી ઉછરંગરાય કેશવરાય ઓઝા, ઈન્ડિયન ઓપીનિયન-આફ્રિકા-અને યુનાઈટેડ બર્મા-રંગુનના તંત્રી શ્રી મદનજીત વોરા, વંદેમાતરમ–મુંબઈના તંત્રી શ્રી સામળદાસ ગાંધી, શારદાના તંત્રી શ્રી ગોકુલદાસ રાયચુરા તથા અનેક વર્તમાન પત્રોમાં નિરંતર લેખ લખતા જીવદયાના હિમાયતી શ્રી લાભશંકર લહમીદાસ અવશ્ય ઉલ્લેખનીય છે. -
જૂનાગઢમાં આ સમયમાં સંગીતને રાજદરબાર તરફથી ઉત્તેજન મળ્યું નહિ છતાં જૂનાગઢના સેવક ઘરાણાના ત્રિકમલાલ દયાળજી સેવકે અને શાંતિલાલ દયાળજી સેવકે તેમની પરંપરા જાળવી સંગીતના ક્ષેત્રે જૂનાગઢનું નામ ઉજજવલ
1 શ્રી સામળદાસ ગાંધી, પૂ. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસના પુત્ર હતા. પૂ. ગાંધીજી મૂળ
કુતિયાણાના રહીશ હતા. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર ગયા પછી ત્યાં સ્થાયી થયા તેમ છતાં તેમનાં મકાને કુતિયાણામાં છે. તેમને કુતિયાણામાં એલી. સેટલમેન્ટ કેસ નં. ૧૧૨૪ સનંદ નં. ૧૨૩૯ વાળી બારખલી જમીન ૬ એકર ૭ ગુંઠા હતી. તેના ચોથા ભાગના ચોથા ભાગ એટલે લગભગ ૦ એકર ૧૫ ગુંઠા (આશરે ૧ વીઘો) જમીનના પૂ. ગધીજી બારખલીદાર હતા. ઈ. સ. ૧૫૦ માં બારખલી નાબૂદી ધાર
આવ્યો ત્યારે આ જમીન ગણોતિયાને મળી. [2 અત્રે એ નેંધવું આવશ્યક છે કે આ ધમાં માહિતી મળી નથી એવી કોઈ વ્યક્તિઓને
ઉલ્લેખ રહી જતો હશે તે પ્રત્યે જેમને માહિતી હોય તે મારું ધ્યાન ખેંચવા કૃપા કરે અને મારી ક્ષતિ માટે માફ કરે. લેખક,