SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ઃ જૂનાગઢ અને ગિરનાર મેર નેભા દેવા પણ પકડાઈ ગયા. રહેમતખાન ઉર્ફે યારખાન બલોચ ઈ. સ. ૧૯૪૦માં બહારવટે નીકળે. તેને પણ જૂનાગઢના માજી પિલીમ સુપ્રિટેન્ડેન્ટ અને તત્કાલિન ભાવનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સ્વ. છેલશંકર દવેએ ધીંગાણામાં ઠાર કર્યો. વર્તમાન પત્રો-સામાયિક આ નવાબના સમયમાં જૂનાગઢ રાજ્યમાંથી કઈ વર્તમાન પત્ર પ્રસિદ્ધ થતાં નહિ. - ઈ. સ. ૧૯૦૭થી શરૂ થયેલું “મનરંજન મણિમાળ” નામનું માસિક શ્રી છગનલાલ લકમીશંકર બૂચ સંપાદિત કરતા તે ઈ. સ. ૧૯૧૯ લગભગ બંધ થઈ ગયું. નાગર ભા મંડલે લીટરરી લેબર ઓફ લવ નામનું સામાયિક ઈ. સ. ૧૯૨૧-૧૯૨૩ આસપાસ પ્રસિદ્ધ કરેલું તે પણ થોડાં વર્ષોમાં જ બંધ થયું. તે પછી શ્રી મંગલજી, ઉદ્ધવજી શાસ્ત્રીએ વિશ્વમંગલ અને શ્રી છગનલાલ પરમાણંદદાસ નાણાવટીએ અરૂણ ઈ. સ. ૧૯૩૨–૧૯૩૩માં સંપાદિત કરેલાં પણ તે બનેનું જૂનાગઢમાંથી થતું પ્રકાશન બંધ થઈ ગયું. શ્રી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા, ચોરવાડમાંથી શારદા પ્રસિદ્ધ કરતા તે પણ થોડાં વર્ષો પછી વડોદરા ગયા અને ત્યાંથી શારદા પ્રસિદ્ધ થતું રહ્યું. રાજ્યનાં અંતિમ વર્ષોમાં કુતિયાણાથી પાકિસ્તાન તરફી મુજાહિદ નામનું સાપ્તાહિક પ્રસિદ્ધ થયેલું પણ તે ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બરમાં બંધ પડયું. તેની માહિતી ઉપલબ્ધ નથી. ' નામાંકિત વ્યક્તિએ નવાબ મહાબતખાન ત્રીજાના સમયમાં એટલે ઈ. સ. ૧૯૧૧થી ઈ. સ. ૧૯૪૭ સુધીમાં જૂનાગઢમાં અને જૂનાગઢ રાજ્યમાં અનેક વિદ્વાનો, કવિઓ, આ સિવાય કઈ જ્ઞાતિ કે કેમનાં સામાયિકે પ્રસિદ્ધ થતાં હશે પણ લેખકે, વિવેચક, વકતાઓ આદિ થઈ ગયા તે સર્વેનાં જીવન અને કાર્યોની નોંધ લેવાનું શકય નથી તેમજ આવી સર્વે વ્યક્તિઓની સર્વાશે સંપૂર્ણ હેય 1 મળેલી માહિતી પ્રમાણે અરૂણના સહતંત્રી શ્રી રસિક વિદી તથા શ્રી સર જુનાગઢી હતા તથા મેનેજર મુઝમિલ મરિષ્ઠ હતા. 2 આ સામાયિકો પૂરતી માહિતી પ્રાપ્ત છે, સંભવ છે કે કોઈ બીજા સામાયિકો પ્રસિધ્ધ થયાં હશે, તેની માહિતી કોઈ વાંચક મને પૂરી પાડશે તો ઉપકૃત થઈશ-લેખક
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy