________________
૩૪૪ઃ જૂનાગઢ અને ગિરનાર
લાન્સ અને પોલીસદળની ટીમોએ, હેકી, પિલે વગેરે રમતમાં, અખિલ ભારત સ્પર્ધામાં ભાગ લઈ પારિતોષિ કે પ્રાપ્ત કરેલાં. તે ઉપરાંત પ્રસંગે પાત આ દળોના જૂનાગઢમાં પેટસ તથા પરેડ થતાં. જૂનાગઢનું પોલીસ બેન્ડ ભારતભરમાં પ્રખ્યાત હતું. ઉત્સવ
જૂનાગઢ રાજ્યના રાજકર્તા મુસ્લિમ હોવા છતાં હિંદુ ધર્મના પ્રત્યેક તહેવાર રાજ્ય તરફથી ઉજવાતા. દીવાળીની રાત્રે સરકારી ચોપડાઓની પૂજા થતી. શારદાપૂજન તથા લક્ષ્મીપૂજન થતું. દશેરાને દિવસે શમીપૂજનની સવારી દરેક તાલુકામાં રાજ્ય તરફથી ચડતી અને શસ્ત્ર તથા શમીનું પૂજન થતું. શ્રાવણ સુદ પૂનમના દિવસે રાજ્ય તરફથી દરેક બંદરે સમુદ્રપૂજન થતું તથા તે પ્રસંગે એક નૌકાયુદ્ધ પણ આનંદ ખાતર થતું.
જૂનાગઢમાં તથા તાલુકાઓમાં મુસ્લિમોની ઇદની સવારી ચડતી અને તાઝિયાના સરઘસ નીકળતાં તેમ હિંદુઓ હેળીને ઉત્સવ અને નવરાત્રી મોત્સવ પૂર્ણ આનંદથી વગર રોકટોકે ઉજવતા.
અનાવૃષ્ટિ, બીમારી કે એવા દુઃખદ પ્રસંગે અથવા વિત્સવ જેવા પ્રસંગે સર્વ ધર્મના દેવસ્થાનેમાં રાજ્ય તરફથી પ્રાર્થનાનું આયોજન થતું. સહિષ્ણુતા
જૂનાગઢ રાજ્યની નીતિ ધાર્મિક સહિષ્ણુતાની હતી. રાજ્યમાં ર૭ જેટલાં આખાં ગામો અને સામટી જમીન હિંદુ ધર્મસ્થાની હતી. ધર્માચાર્યોને તથા સંત સાધુઓને યોગ્ય માન અપાતું. રાજની નોકરીમાં પણ ઇ. સ. ૧૯૩૯માં રાજનીતિએ પાસું બદલ્યું તે પૂર્વે હિંદુઓનું પ્રમાણ મિલીટરી પિોલીસ, જંગલ તથા ખાનગી ખાતું બાદ કરતાં મુસ્લિમોથી વધારે હતું. બહારવટિયા
ઈ. સ. ૧૯૧૧ થી ઈ. સ. ૧૯૪૭ સુધીમાં નાનાં મોટાં બહારવટ થયાં પણ તે બહારવટિયાઓ બહાર પડયા પછી બહુ ટકી શકયા નહિ.
એડમિનીસ્ટ્રેશન દરમ્યાન અમરેલી તાબાના વાવડી ગામને કાઠી રામવાળા ગાયકવાડની સરકાર સામે બહારવટે ચડેલે. તેને જૂનાગઢ પાસે બેરીયા
1 માહિતી-જુનાગઢ સ્ટેટ એડમિનીસ્ટેશન રિપોર્ટ-૧૯૧૨થી ૧૯૪૭