SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને અંત : ૩૪૩ બને એક બીજાથી અલગ છતાં મહાલ ઉના મહાલ કહેવાતે. મહાલના રેવન્યુ અધિકારી વહીવટદાર કહેવાતા. બાબરિયાવાડ મહાલમાં બે અર્ધા ગામો અને ત્રણ આખાં ગામો બાદ કરતાં બીજાં બધાં ગામો ગીરાસદારી હેવાથી તેને અધિકારી થાણદાર કહેવાતા. બાબરિયાવાડ મહાલ સાથે ગાધકડા, રામગઢ અને મહુવા પાસેનું પાદરગઢ ગામ જોડી દેવામાં આવેલાં, વેરાવળ શહેર માળિયા મહાલમાં હતું પણ પાછળથી જુદો મહાલ બનાવવામાં આવેલ છતાં પાટણ મહાલને જેમને તેમ રહેવા દીધેલો.' દરેક મહાલના મુખ્ય મથકમાં, સરકારી દવાખાનું, પોલીસ થાણું તાલુકા સ્કૂલ વગેરે હતાં, તે સિવાયનાં કેટલાંક ગામોમાં પોલીસ થાણું કે દવાખાનાં, તે ગામો મુખ્ય મથક ન લેવા છતાં વહીવટી કે પ્રજાહિતની દ્રષ્ટિએ રાખવામાં આવેલાં, રમતગમત રાજ્ય તરફથી રમતગમતના વિકાસ માટે તથા નિભાવ માટે ઉત્તેજન મળતું. પ્રત્યેક માધ્યમિક શાળામાં, ક્રિકેટ, હેડકી, ફૂટબોલ આદિ રમત માટે ખર્ચ કરવામાં આવત. માધ્યમિક શાળાઓમાં ક્રિકેટની સ્પર્ધા માટે હરપ્રસાદ ઉદયશંકર દેશાઈ સિનિયર ક્રિકેટ શિલ્ડ તથા હલ શિલ્ડ ટુનામેન્ટ રમાતાં. જૂનાગઢના ક્રિકેટના ખેલાડીઓ તથા પોલો રમનારાઓએ અખિલ ભારત હરીફાઈમાં નામના મેળવેલી. (૩૪રમાં પાનાનું ચાલુ) જ્યાં ગર ગિરનાર ગિર છે સર સરિતા વળી સાગર તીર છે છાંય દાતાર તણી શિર છે – અમ સોરઠના સરકાર સાખી–શેર નિપજતા ગિરમાં ગઢમાં નિપજે શૂર સાગર મોતી નિપજે ઘેડ ધાન્ય ભરપૂર કુદરતની રચના આવી સોરઠમાં સર્વ સજાવી આપે અધિક દીપાવી–અમ સોરઠના સરકાર સાખી–રસ ભીને સોરઠ સદા ભાવ ભીના નરનાર પ્રેમ ભીની પૂરણ પ્રજા ન્યાય ભીના સરકાર ભાવિક ઉરના ઉદ્દગારો સ્નેહે સરકાર સ્વીકારે જયજયકાર પ્રસાર – અમ સેરઠના સરકાર 1 ઈ. સ. ૧૯ સુધી રાજ્યના ૧૬ મહાલો અને ૧૬ પિટા મહાલો હતા. તાલાળા મહાલ ન થતાં તથા જેતપુરનાં મજમું ગામો સુવાંગ થઈ જતાં પુનરચના કરવામાં આવી અને તે અનુસાર ૧૨ મહોલે કરવામાં આવ્યા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy