SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ : જૂનાગઢ અને ગિરનાર કર્યો અને પુષ્કળ દ્રવ્ય ખર્યું તો તેમાં ધારી સફળતા મળી નહિ. - વેરાવળ ઉપરાંત તાબાના માંગરોળ બંદરે અને ઉના પાસેના નવાબંદરે પણ સ્ટીમરે નાંગરતી અને માલની આયાત નિકાસ થતી. આ બંદરે ઉપરાંત ભેરાઈ, ચાંચુડા ધારા બંદર, સુત્રાપાડા, હીરાકટ, ચોરવાડ અને શીલ જેવાં આઠ બંદર હતાં. આ બંદર ઉપર માછીમારો પિતાની હેડીઓથી લેધ કરતા. શિયાળામાં દક્ષિણ ગુજરાતના માછીઓ અહિં આવતા, તેમને રાજ તરફથી સુવિધા મળતી. મત્સ્ય ઉદ્યોગ આજે છે તેટલે વિકસિત હતા નહિ છતાં એ સમયના પ્રમાણમાં તેને સારો વિકાસ થયો હતે. એ પ્રમાણે ભેરાઈ અને ધામળેજમાં મીઠા ઉદ્યોગ જૂના ધોરણે ચાલતા, ત્યાં અગરીયા મીઠું પકવતા. ઇ. સ. ૧૯૩૮-૧૯૩૯ માં રાજયે તેને ઈજા આપવાનું શરૂ કર્યું. સરકારી વકીલ કાયદાની બાબતમાં રાજ્યને સલાહ આપવા સરકારી વકીલ રહેતા અને તે સાથે એજન્સી સાથેના વ્યવહાર ઉપર દષ્ટિ રાખવા રાજકેટ ખાતે સ્ટેટ વકીલ રહેતા. પરવરશી રાજ્ય કર્મચારીઓની વિધવાઓ અને સગીર કે અનાથ બાળકે અને અન્ય નિધન અને નિરાધાર વિધવાઓ કે અપંગ માટે પરવરશી આપવામાં આવતી. ઈ. સ૧૯૩૫માં આવા પરવશીદારોની સંખ્યા ૪૮૯ની હતી અને તેમની વચ્ચે રૂપિયા ૩૫૧૨૩ ની રકમ વહેંચવામાં આવતી. ઈ. સ. ૧૯૪૪૧૮૪૫માં આ સંખ્યા વધીને ૧૧૭૩ની થઈ ગઈ અને રકમ રૂપિયા ૨,૮૩૮ની વધી ગઈ. બેરાત જૂનાગઢમાં લંગર નામનું અન્નક્ષેત્ર ચાલતું, જ્યાં ગરીબ માણસને ભજન 1 પાર્ટ કમિશનર પદે શ્રી કૃષ્ણલાલ ધ્રુવ દીર્ધકાળ રહયા તે પછી મિ. ડીથ નામના અંગ્રેજ અધિકારી ઇ. સ. ૧૯૩૩ થી ઇ. સ. ૧૯૪૭ સુધી આ જગ્યા ઉપર રહ્ય. 2 સરકારી વકીલના પદ ઉપર શ્રી ત્રિભોવનરાય રાણે, શ્રી શિવદતરાય માંકડ, શ્રી લાલભાઈ દેસાઈ અને શ્રી દેવીપ્રસાદ દેસાઈ આ સમય દરમ્યાન ઉત્તરોત્તર આવેલા. તે પ્રમાણે સ્ટેટ વકીલના પદે શ્રી પુરુષોતમરાય નાણાવટી, શ્રી મતિશંકર દેશાઈ, શ્રી બુખારી, શ્રી લાખાણી, શ્રી તહેરાની વગેરે આવેલા
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy