SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ : જૂનાગઢ અને ગિરનાર પ્રાચીડ-જામવાળા ૭-૦૫ ૧૮-૪-૧૯૩૨ જમવાળા-દેલવાડા ૨૪-૨૨ ૧૦-૧-૧૯૩૫ ૧૯૯-૦૯ રેલવે લાઈન તથા તેની હદ ઉપર ફેજદારી હકૂમત એજન્સીની હતી. આઉટ એજન્સી રેલવે લાઈન ઉપરાંત જૂનાગઢ રેલવે, સરાડીયા-કુતિયાણા, ચેરવાડ રેડ-ચોરવાડ, વેરાવળ-પ્રાચીપ્રાંસલીની આઉટ એજન્સી મોટર સર્વિસ ચલાવતી. બસ સર્વિસ ગામડાઓને જોતા કેટલાક માર્ગો ઉપર ખાનગી વ્યક્તિઓ કે કંપનીએ તરફથી બસો ચાલતી. ઈ. સ. ૧૯૪૫ પછી જૂનાગઢ રેલવે તરફથી આવી કેટલીક સર્વિસ ચલાવવાનું શરૂ કરેલું અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની યોજના સંપૂર્ણ થયે રાજયના ગામે ગામને બસ સર્વિસથી આવરી લેવા વિચારેલું. જાહેર બાંધકામ ખાતું એડમિનીસ્ટ્રેશનના સમયમાં પદ્ધતિસરનું જાહેર બાંધકામ ખાતું કામ કરતું થયું.' નવાબ મહાબતખાનના સમયમાં, વિલિંગ્ડન ડેમને બાદ કરતાં કે ઈ મેટાં અને નોંધપાત્ર પ્રજોપયોગી જાહેર બાંધકામ થયાં નથી એમ કહી શકાય. આ સમયમાં સરાડીયા કુતિયાણું વચ્ચે પુલથી નાને અને કોઝવેથી મે એ એક પુલ ભાદર નદી ઉપર, ચોરવાડ રોડ સ્ટેશન અને વેરાવળ વચ્ચે ખરેડાને. કેઝ, વેરાવળ–પ્રભાસપાટણ વચ્ચે ખાડી ઉપરને ફરતે પુલ અને અત્યારે ભંગાર સ્થિતિમાં પડ્યા છે તે ચોકી પાસે ઉબેણને પુલ, જેવાં સામાન્ય અને સાધારણ કહી શકાય એવાં કામો થયાં. રાજ્યના ધોરી માર્ગોની સ્થિતિ પણ સારી ન હતી. જૂનાગઢ વેરાવળ વચ્ચેને માર્ગ મેટલ રોડ હતો તે વારંવાર રિપેર કરવામાં આવતો પણ તે સિવાયના માર્ગોની સ્થિતિ ઘણુ ખરાબ હતી. ઓઝત, હિરણ, મછુંકી જેવી નદીઓ ઉપર પુલે પણ હતા નહિ અને ગામડા એને જોડતા માર્ગો તે ગાડા કેડા જ હતા. 1 આ ખાતાના ઉપરી પદે આ સમયમાં, રા. બ. ઠાકરશી ઘીયા, ખાનસાહેબ, રા. બ. ગાંધી, શ્રી દલવી, શ્રી મહમદ મુસા, શ્રી કેશવાણી વગેરે ઉત્તરોતર આવ્યા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy