________________
૩૩૬ : જૂનાગઢ અને ગિરનાર
બેન્ક
- તારીખ ર૦-૧૯૩૪ના રોજ વેરાવસમાં જૂનાગઢ સ્ટેટ બેન્કની સ્થાપના કરવામાં આવી. તેની એક શાખા જૂનાગઢમાં તારીખ ૨-૪-૧૯૩૫ના રોજ ખેલવામાં આવી આ બે તારીખ ૧-૧૧-૧૯૪૪ થી બેન્ક ઓફ ઈન્ડિયાની જૂનાગઢમાં શાખા ખુલતાં તેમાં ભળી ગઈ. પિલીસ
પોલીસદળમાં બહુ ભણેલા કે તાલીમ પામેલા અધિકારીઓ ન હતા, તેમ છતાં કાયદે અને વ્યવસ્થાની જાળવણી ઘણી સારી રીતે થતી. આ અમલદ તેમના કાર્યમાં અને ફરજમાં પૂરા વાકેફગાર અને ખબરદાર હતા. ઈ. સ. ૧૯૪૫-૧૯૪૬માં પોલીસદળ ૯૯૨નું હતું તેમાં ૭૦૮ મુસ્લિમ અને ૨૮૪ હિન્દુઓ હતા. તેમાંના ૬ર૭ ભણેલા અને ૩૬૫ અભણ હતા. પિલી સખાતાના વરિષ્ઠ અધિકારી પ્રથમ કમિશનર કહેવાતા. ૧૯૭૧થી તે જગ્યા સુપ્રિન્ટેન્ડેન્ટની થઈ અને ૧૯૪૩થી ફરીથી કમિશનરની થઈ. રીન્ય
રાજ્યની લાન્સર્સમાં ૧૭૩ સવાર હતા, તેના કમાન્ડન્ટ, બ્રિટિશ સેનામાંથી આવતા. ઈન્ફન્ટ્રીમાં ૨૧ જવાન હતા, તેના વડા રાજ્યસેવાના પણ તાલીમ પામેલા હતા. આ બધા સૈનિકે મુસ્લિમો હતા. લાન્સસના અને ઇ-ટ્રીના અમલદારોને તાલીમ માટે બ્રિટિશ સેનાની છાવણીઓ તથા શાળાઓમાં મોકલવામાં આવતા. બીજા વિશ્વવિગ્રહમાં લાન્સસના ૮૬ અને ઈન્ફન્ટ્રીના ૧ માણસે લડવા ગયેલા. જોરતલબી-ખંડણી
જૂનાગઢ રાજ્યને ૧૩૪ રાજ્યો પાસેથી રૂપિયા ૯૨,૪૨૧ની રકમ પ્રતિવર્ષ જોરતલબી તરીકે મળતી. તે સામે સાર્વભૌમ સત્તાને રૂપિયા ૨૮,૩૯૪ તથા ગાયકવાડ સરકારને રૂપિયા ૩૭,૨૧૦ની ખંડણી ભરવી પડતી. આ રકમ વસુલ કરી આપવા માટે સાર્વભૌમ સત્તાને ૫ ટકા કમીશન પણ આપવું પડતું.
1 આ બેન્કના જનરલ મેનેજર મિ. ફ્રેઝર હતા. 2 પિલીસખાતાના કમિશનર પદે શ્રી ધીરજરાય અંબારામ છાયા હતા. તે પછી સર્વશ્રી
સદરૂદ્દીન, છેલશંકર દવે, આઈ. સી. બેઈડ આંટીયા તથા ખા. સા. ફતેહમામદ, સુપ્રિટેન્ડેન્ટ હતા. ઈ. સ૧૯૪૩થી ખા. બ. મહમદહુસેનશાહ નવી કમિશનર હતા.