SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને અંત : ૩૩૫ આ પ્રકારની સુધરાઈ તારીખ ૧-૯-૧૯૩૪ થી વેરાવળને આપવામાં આવી. તેમાં ૧૨ સભ્યો હતા. પ્રતિનિધિત્વ જૂનાગઢના ધોરણે જ હતું. મહાલના મુખ્ય મથકમાં વહીવટદારના પ્રમુખપણ નીચે ચાર નિયુકત સભ્યોની સુધરાઈ હતી, તેમાં ૨ સભ્યો મુસ્લિીમ અને બે બીન મુસ્લિમ હતા. આ સભ્ય માત્ર સલાહકાર હતા. જકાત ઈ. સ૧૯૩૪ પહેલાં રાજ્યમાં ખુઠ્ઠી (લેન્ડ) જકાત માત્ર બે જ દરમાં લેવાતી. પરદેશી માલના પાંચ ટકા અને દેશી માલના એક રૂપિયાની કીંમત જૂને એક પૈસે ઈ. સ. ૧૯૩૪થી રાજ્ય બ્રિટિશ ટેરીફ દર સ્વીકારી વીરમગામની જકાતમાંથી છૂટછાટ મેળવી તે પછી તરી જકાત (સી કસ્ટમ) તથા ખુશ્કી જકાત (લેન્ડ કસ્ટમ) ટેરીફ ધરણે લેવાતી. બંદરે આવતા માલ ઉપર ! રિબેટ આપવામાં આવતું નહિ. ઉદ્યોગ રાજ્યમાં ઉદ્યોગોની ખિલવણી માટે કાંઈ પ્રવૃત્તિ થતી નહિ. ડાં ઓઈલ એકસપેલ, જીનીંગ ફેકટરીઓ અને કોટન પ્રેસે સિવાય કોઈ ઉદ્યોગો હતા નહિ. , તત્કાલીન દીવાન જે. એમ. એન્ટીથના હસ્તે તા. ૧૭-૧૨-૧૯૩૭ ના રોજ જૂનાગઢના શ્રી છગનલાલ પરમાણંદદાસ નાણાવટીના પ્રયાસથી વેરાવળમાં મહાબતખાન ટેકસટાઈલ મીલ્સનો પાયો નાખવામાં આવ્યું અને તે વિધિ સાથે મીલનું ઈતિશ્રી થઈ ગયું. ઈ. સ. ૧૯૪૪માં ચોરવાડમાં દીલાવર સીડીકેટ તથા કાઠિયાવાડ ઈન્ડસ્ટ્રીઝનાં કારખાનાં નાખવામાં આવ્યાં. ઇલેકિટસીટી જૂનાગઢના નગરશેઠ શ્રી રઘુનાથ માધવજી રાજાએ ઈ. સ. ૧૯૩૮માં શેખ મહમદ ઈલેકિટ્રક પાવરહાઉસની સ્થાપના કરી. તેનું ખાતમુહૂત તારીખ ૨-૮-૧૯૨૮ના રોજ કરવામાં આવ્યું અને તેનું ઉદ્દઘાટન તારીખ ૨૬-૮-૧૯૨૯ ના રોજ પોલિટિકલ એજન્ટ કલ કીઝના હાથે થયું. ઈ. સ. ૧૯૩૨માં આ પાવરહાઉસ રાજ્ય સંભાળી લીધું. 1 શ્રી ચિતરંજન (બચુભાઈ) રાજાના પિતાશ્રી
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy