SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને-અંત ઃ ૩૩૧ ઉઠાવ્યો પણ કોઈ સંતોષકારક પરિણામ આવ્યું નહિ ! નગરમાં મકાન બાંધવા માટેની જમીને વેચાણ હક્કથી મળતી તેના ઉપર કિરાયો કે અન્ય કોઈ વેરે કે ટેકસ લેવાતા નહિ ગીરાસ ગરાસિયાઓ તથા બારખલીદારો પ્રત્યે પણ રાજ્યની નીતિ ઉદાર હતી. તેમની પાસેથી મુકરર થયેલા સુધારા વરાડ કે સેટલ સલામી ઉપરાંત કેઈ રકમ લેવાતી નહિ. સગીર ગીરાસદારની જાગીર ઉપર જપ્તી રહેતી અને તેને વહીવટ રાજ્ય કરતું કે જનરલ વાલી નીમવામાં આવતા. જાગીર ઉપર કરજ થાય તે કરજ નિકાલ ખાતું, વહીવટ કરી જાગીર ઋણ મુક્ત થાય તેવી યોજના કરતું. આવશ્યક પ્રસંગે ગીરાસદારોને લોન પણ આપવામાં આવતી. બીજાં રાજ્યોમાં ગીરાસદારોને ધીરધાર કરી તેની જાગીરે લખાવી લેવામાં આવતી, તેમ અહીં થતું નહિ. ધર્માદા, દેવસ્થાને, પીરસ્થાને ની જાગીરે પ્રત્યે પણ ઘણું જ ઉદાર નીતિ હતી. ધર્માદા સંસ્થાના મહંત ગુજરી જાય ત્યારે રાજયને મહંત નીમવાને અધિકાર હતા. પરંતુ, જે સંપ્રદાયની જગ્યા હોય તે જ સંપ્રદાયના અને બનતાં સુધી મહૂમ મહંતના શિષ્યને ગાદી આપવામાં આવતી, મહું તેને સંસારી થવાની પણ છૂટ આપવામાં આવેલી. બારખલી ખાતું, રેવન્યુ કમિશનર નીચે અને ઈ. સ. ૧૯૩૫થી રેવન્યુ મેમ્બર નીચે હતું. તેના દ્વારા જપ્તી જાગીરે, સંગીની જાગીરે, અરજદારની જાગીર તથા ખફગાનની જાગીરોનો વહીવટ પણે થતા.2 ફળ ઝાડ ઉછેર કરીને વિપુલ પાક થાય તે માટે ખરાબાની જમીનમાં પ્રજાને આંબા વાવવાની છૂટ હતી. આવી રીતે વાવેલા આંબાએ ફળાઉ થાય ત્યારે દર ઝાડે 1 ઘરભેણી ઓફિસર તરીકે, સર્વશ્રી છેલશંકર રાણા, જયંતિલાલ વસાવડા, લાલભાઈ દેશાઈ, બી. પી. પુરાણિક, વજુભાઈ કોઠારી, મનુભાઈ કીકાણી, અ. બીનહમીદ તથા શં, હ. દેશાઈ ઉતરેતર હતા. 2 બારખલી આસિસ્ટંટના પદે સર્વશ્રી, મુગટરાય કલ્યાણ, જોરાવરસિંહજી, વજુભાઈ કોઠારી તથા સી. પી. ભટ હતા. તે પછી બારખલી ઓફિસરની જગ્યા થતાં તેના ઉપર સર્વશ્રી સી. પી. ભટ, બીનહમીદ, કાસમ વીશલ અને જી. એસ. તહેરાની ઉત્તરાર હતા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy