________________
બાબી વંશન-અંત ઃ ૨૯
-
તેના ઉપરી પદે પ્રિન્સિપાલ મેડીકલ ઓફિસર હતા. રાજ્યનાં દવાખાનાંઓના ઉપરી ચીફ મેડીકલ ઓફિસર હતા સીલ્વર જ્યુબિલી ઉત્સવ પ્રસંગે જે ફંડ થયું તેમાં જે જે મહાલનું જેટલું ફંડ થાય તેટલી રકમ રાજયે ઉમેરી તેમાંથી કેઈપણ સાર્વજનિક દવાખાના કરવાનો રાજ્ય નિર્ણય લીધું હતું. તે ઉપરાંત મહાલનાં કેન્દ્રોમાં તથા અન્ય મોટાં ગામોમાં દવાખાનાં હતાં.
ઈ. સ. ૧૯૩૫માં ત્યજી દેવાયેલાં બાળકો માટે ફાઉનડલિંગ હેમની સ્થાપના કરવામાં આવી તે સાથે બાલ આરોગ્ય કેન્દ્ર તથા રેડક્રોસ સંસ્થા પણ કાર્ય કરતી. દિલ્હીની રેડક્રોસ સંસ્થાની મુખ્ય કચેરીનું મકાન જૂનાગઢ રાજયે બંધાવી આપેલું અને તેની શાખા જૂનાગઢમાં હતી. નવાબે ચીલ્ડ્રન વેલફેર સોસાયટી સ્થાપી હતી. તેનું ઉદ્દઘાટન તેના હાથે તારીખ ૧૭-૧ર-૧૯૩૩ ના રોજ થયું હતું,
લેપરએસાયલમમાં રક્તપીતના દર્દીઓની વિના શકે સારવાર થતી.
આયુર્વેદિક અને યુનાની દવાખાનાંઓ અને ફરતાં દવાખાનાઓ પણ દરેક મહલનાં અગત્યનાં ગામડાંઓમાં ચાલતાં.
સંસ્થાઓ સ્થાપિત અને સંચાલિત દવાખાનાંઓને અનુદાન મળતું. મહેસૂલ
રાજપની જમીન ફળદ્રુપ હતી. પણ ખેડૂતે ગણેતિયા હતા. તેમને જમીન ઉપર માલીકી કે કન્ના હકક હતા નહિ, પરંતુ વારસાના નિયમો ઉદાર હતા, પુત્રના અભાવે પુત્રીઓને વાર મળતા. દત્તક લેવાની છૂટ હતી. ખેડૂતનું મૃત્યુ થાય, પુત્ર ન હોય અને પુત્રીઓ સગીર કે અવિવાહિત હેય તે, અથવા વિધવા હેાય કે અપંગ આશ્રિતા હોય તે જમીન બીજાને સંથાય તે સાથે મૂળ ખેડૂતનાં આશ્રિતને ખોરાકી પોશાકી આપવામાં આવતી. વિધવા ધણીના હક્કમાં રહે ત્યાં સુધી ખાતું પણ તેના નામે ચાલતું. ખેડૂતોના વારસા હિસ્સા, વહેચણ વગેરે સર્વ પ્રશ્નો મહેસૂલ ખાતું જ પતાવતું. તેમને વકીલો રેકવા કે કોર્ટે જવાપણું હતું નહિ. લહેણું કારણ ખાતું છૂટી જાય તે ખેડૂતને રહેવા માટે મકાન આપવામાં આવતું. '
૧ ઈ. સ. ૧૯૩૭ થી ૧૯૪૭ સુધી ચીફ મેડિક્લ ઓફિસર પદે કેપ્ટન પી. ટી. મજમુદાર તથા ઇ. સ. ૧૯૩૪ સુધી પ્રિન્સિપાલ મેડીક્લ ઓફિસર ડે. માટીન્સ હતા, તે પૂર્વે
ડો. નરસિંહદાસ તથા ડે. કોઠારી આરોગ્ય ખાતાના ઉપરી હતા. જ. ગિ-૪ર