________________
બાબી વંશને–અંત :
૭
નવાબના પ્રીતિપાત્ર થયા. તેઓ પ્રાઈવેટ સેક્રેટરી પદે પણ રહ્યા. ઇ. સ. ૧૯૩૮માં તેઓ રજા ઉપર ગયા અને પાછળથી દીવાન સાહેબઝાદા સરદારમહમદખાને તેમના વિરૂધ્ધ તપાસ કરી તેમને બરતરફ કર્યા તે પછી થોડા જ માસમાં તે ગુજરી ગયા
તેમને ગયા પછી. મુંબઈના માજી કલેકટર ઓફ કસ્ટમ્સ રાવબહાદુર માણેકલાલ લલ્લુભાઈ રેવન્યુ મેમ્બર થઈને આવ્યા અને તેમની ગૃહસ્થાઈ, નિષ્પક્ષપાત નીતિ અને કાર્યક્ષમતાથી તે પ્રજાપ્રિય થયા. તેઓ ઈ. સ. ૧૯૪૨ માં છુટા થયા. સિંધના નિવૃત કલેકટર રા. બ. ધરમદાસ હીરાનંદાણુ ઈ. સ. ૧૯૪રમાં, ડાયરેકટર ઓફ સિવિલ સપ્લાઈઝ થઈને આવેલા અને તે પછી રેવન્યુ કમિશનર પણ નીમાયેલા. તે ઈ. સ. ૧૯૪૫માં રેવન્યુ મેમ્બર થયા. આ બાહેશ, વિચારશીલ, કાર્યક્ષમ કૂનેહબાજ અને અતિ અનુભવી અમલદારે તેની શાંત, ગંભીર અને નિડર પ્રકૃતિથી રેવન્યુ ખાતાનું માળખું ફેરવી નાખ્યું. તેણે નવા ગ્રેજ્યુએટને અધિકારી પદે અને મુખ્ય કચેરીમાં રાખી, ખાતાનું આધુનિકરણ કરી કેટલીક ઉચ્ચ પ્રણાલિઓ પાડી. તેઓ પણ જૂનાગઢનું પાકીસ્તાન સાથે જોડાણ કરવાના ઠરાવમાં કાઉન્સિલ સભ્ય તરીકે સહમત ન થતાં વિરોધ કરી રાજીનામું આપી છૂટા થઈ ગયા.
ખા. બ. અબ્દુલમજીદખાન ઈ. સ. ૧૯૪૧થી ઈ. સ. ૧૯૪૭ સુધી કાયદા સભ્ય રહ્યા. - ઈ. સ. ૧૯૪૭માં રાજ્યના અંતિમ દિવસે માં શ્રી. એ. કે. વાવ અષે. હાનીને સભ્ય પદે લેવામાં આવ્યા પરંતુ તેમના ગયા પછી થોડા જ દિવસોમાં જૂનાગઢ રાજયમાં નવાબીને અંત આવ્યું.
આ ઉપરાંત કાઉન્સીલમાં, મિ. રેઝ, કેપ્ટન વિલિયમ્સ, કેપ્ટન એફ. બી. એન. ટીલે, મિ. બેઈડ વગેરે અંગ્રેજ સભ્યો વારંવાર લેવાયા હતા. કેપ્ટન હાર્વે જેન્સ છેલ્લી કાઉન્સિલના સભ્ય હતા.
- ઈ. સ. ૧૯૩૧માં મુંબઈ રાજયની સેવામાંથી આવેલા શ્રી. એસ. પી. ઘીવાલા પ્રથમ દીવાન ઓફિસના મેનેજર અને પછીથી ચીફ સેક્રેટરી પદે ઈ. સ. ૧૯૪૭ના નવેમ્બર સુધી રહ્યા. અતિ સખત કામ અને પરિશ્રમ કરનારા આ પારસી ગૃહસ્થ સોળ વર્ષ સુધી જૂનાગઢના વહીવટી તંત્રમાં અગત્યનું સ્થાન ભોગવ્યું. રાજ્યનાં જુદાં જુદાં ખાતાંઓ
બધાં રાજયોની જેમજ રાજ્યમાં રેવન્યુ. પિોલીસ આદિ જુદાં જુદાં ખાતાં હતાં. પરંતુ અમુક ખાતાંઓમાં કેટલીક વિશિષ્ટતા હતી અને કેટલાંક