________________
બાખી વશન-અંત : ૩૨૫
તાલુકાઓ પાસેથી લેવાતી જોરતલબીની રકમ માફ કરી અને ન્યાય માટે જૂનાગઢમાં હાઈ કોર્ટ ની સ્થાપના કરવામાં આવી. દીવાના (ઇ. સ. ૧૯૩૮-ઇ. સ. ૧૯૪૭)
મિ. જે. એમ. મેન્ડીથ ગયા પછી ટાંકના સાહેબઝાદા સરદારમહમદખાન દીવાન થયા. તેના સમયમાં પ્રજામ`ડલની ચળવળ, ખીજો વિશ્વવિગ્રહ, સં. ૧૯૯૬ના દુકાળ વગેરે રાજ્યને ઉપાધિમાં મૂકનારા પ્રસંગા આવ્યા. તે સાથે નાનાં રાજ્યો અને તાલુકાઓને જૂનાગઢ રાજ્યમાં જોડવાની પ્રવૃત્તિ પણ કરવાની જવાબદારી તેની હતી. તેમણે બધાં કાર્યો પાર પાડયાં પણ રાજ્યમાં તેની બહુ સારી છાપ પડી નિહ, રાજવંશી અને બ્રિટિશ રાજ્યમાં ઊંચા અધિકાર પ્રાસ કરી શકેલા આ દીવાન ઈ. સ. ૧૯૪૨માં ગયા અને ખા. બ. અબ્દુલકાદર મહમદહુસેને તારીખ ૨૮-૮-૧૯૪૨ના રાજ જૂનાગઢના દીવાનનું પ સંભાળ્યું.
આ શક્તિશાળી, હુશિયાર અને વહીવટી તંત્રના નિષ્ણાત દીવાને ઘણીજ ખાહેાશીથી રાજતંત્ર ચલાવ્યું. પરંતુ તેના પુરાગામી દીવાને, રાજ્યની નાકરીમાં મુસ્લિમેાનું પ્રમાણ વિશેષ હેવું જોઈએ તે માટે ખાતાંઓ ઉપર મેાકલેલા ગુપ્ત પરિષત્રને બદલે ઉધાડી રીતે રાજ્યની નીતિ જાહેર કરી અને રાજ્યના દરેક ખાતામાં મુસ્લિમ અધિકારીઓને હક્ક ન હ્રાય છતાં બઢતી આપવામાં આવી. કમ ચારીઓની ભરતીમાં યોગ્ય લાયકાતવાળા સ્થાનિક મુસ્લિમો ન મળે તા પર પ્રાન્તમાંથી મુસ્લિમાને ખેલાવી નિમણૂક આપવામાં આવી. આમ જૂનાગઢ રાજ્યમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ન હતા તેનું પ્રગટ રીતે સર્જન થયું. અને બે સદી જૂની રાજનીતિમાં પલ્ટા આવ્યા.
જ્યારે દેશના ભાગલા પડયા ત્યારે ખા. બ. અબ્દુલકાદર મુસ્લિમ હતા અને સિંધના હતા, છતાં તેણે જૂનાગઢ ભારતમાં જોડાય એવા અભિપ્રાય આપ્યા પણ એ જ સમયે તેને હૃદયરોગના હુમલા થતાં અમેરિકા ગયા અને તેના સ્થાને જૂનાગઢનું રાજ્ય ગુમાવવા સર શાહનવાઝ ભુટાને મૂકતા ગયા. સર શાહનવાઝે તેની જગ્યાના ચાજ તારીખ ૩૦-૫-૧૯૪૭ ના રાજ લીધા. રાજ્યતંત્ર
ઈ. સ. ૧૯૧૧માં નવાબ રસુલખાનજી ગુજરી ગયા અને બ્રિટિશ એડમિનીસ્ટ્રેશન થયું ત્યારથી બ્રિટિશ હિન્દુસ્થાનમાં જે વહીવટી પહિત હતી તે રાજ્યના પ્રત્યેક ખાતામાં દાખલ કરવામાં આવી. ઈ. સ. ૧૯૨૦માં મહાબતખાનજીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં પછી પણ તે જ પતિએ વહીવટ ચાલતા રહ્યો પરંતુ તે પછી પ્રજાની અને વહીવટની મુશ્કેલીએ સમય, સજોગ