________________
૩૨૪ : જૂનાગઢ અને ગિરનાર
મર સુધીના ગણેતિયા હતા અને તેઓ પણ આવી લડતમાં જોડાવા માટે અચકાતા હતા. તે સાથે વિશ્વવિગ્રહનાં નગારાં યુરોપ એશિયામાં ગાજતાં થયાં, સોરઠમાં દુષ્કાળ પડ્યો અને રાજકેટની લડત નિષ્ફળ ગઈ. એ બધાંની અસર પ્રજામંડલની લડતને થઈ અને અંતે તે સંકેલાઈ ગઈ.
તેમ છતાં આંદોલન સર્વથા નિષ્ફળ ગવું નહિ તેમ તે પછીના ઇતિહાસથી સ્પષ્ટ જણાશે. એટેડ એરિયા જના
ઈ. સ. ૧૯૪૭માં સાર્વભૌમ સત્તાએ તેનું ભાવિ સ્પષ્ટપણે જોઈ લીધું. તેથી સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્યો અને તાલુકાઓ ઉપર એજન્સીની સીધી દેખરેખ હતી અને વહીવટ ઉપર અંકુશ હતા તેવાં રાજ્યને પ્રથમ વર્ગના રાજ્ય નીચે મૂકી દેવા ઘડેલી યોજના પ્રમાણે એજન્સી નેટિફીકેશન નં. ૮૭ તારીખ ૮-૬-૧૯૪૩ થી તારીખ ૧૪--૪૭ના દિવસથી નીચેના તાલુકાઓ જૂનાગઢ રાજયના અંકુશ નીચે મૂકવામાં આવ્યા.
૧ બાટવા બેઠા મજમુ ૨ બાટવા છેટા મજમુ ૩ સરદારગઢ ૪ સૂર્યપ્રતાપગઢ ૫ અનિડા ૬ નડાલા ૭ સનાળા ૮ ભાયાવદર ૯ માનપુર ૧૦ માયાપાદર ૧૧ ખીજડિયા ૧૨ આલીધરા ૧૩ અકાળા ૧૪ સરદારપુર.
તે ઉપરાંત હમત વગરના નીચેના તાલુકાઓ પણ જૂનાગઢ રાજ્ય નીચે મૂકવામાં આવ્યા. * ૧ અમરાપુર ૨ લુણાગિરિ ૩ કુબા ૪ વીછાવ.
તે પછી એજન્સીને ટિફીકેશન નંબર ૧૯૨ તારીખ ૩૦-૧૧-૧૯૪૦થી માણાવદર, થાણાદેવળી અને જેતપુરનાં રાજયો પણ તારીખ ૭-૧૨-૧૯૪૭થી જૂનાગઢ રાજ્ય નીચે મૂકવામાં આવ્યાં.
આ જોડાણથી જાનાગઢ રાજ્યના વિસ્તારમાં ૬૮૦ ચેરસ માઈલને વિધારે થયે અને ૧,૪,૬૨૫ની વસતી વધી. .
આ રાજ્યોને વહીવટ કરવા સ્પેશિયલ ઓફિસર તરીકે કેપ્ટન હાર્વે જેન્સ તથા આસિસ્ટંટ સ્પેશિયલ ઓફિસર તરીકે શ્રી સી. એન. મોદી અને તે પછી શ્રી જે. એમ પંડયા નીમાયા. જૂનાગઢ રાજ્ય આ રાજ્ય અને
1 જુનાગઢ રાજ્ય તરફથી આ યોજનામાં પ્રારંભિક કાર્ય આ લેખકે અને શ્રી બદ્રભાઈ
ખરે કરેલું. શ્રી બુટુભાઈ અંત સુધી તેમાં કાર્ય કરતા રહ્યા.