________________
બાબી વંશને-અંત ૩ર૩
રાજ્ય પણ તારીખ ૯-૧-૧૯૩૯ની જાહેરાતથી આવી પ્રવૃત્તિને ગેરકાયદેસર કરાવી અને હઝર ફરમાન નંબર ૨૦૩ તારીખ ૧૦-૧-૧૯૩૯થી નવાબે આવી પ્રવૃત્તિ સામે નાપસંદગી દર્શાવી, પરંતુ તે માટે હવે બહુ મોડું થઈ ગયું હતું. પ્રજામંડલે વિશેષ વાટાઘાટો કરવાને બદલે સીધી લડતમાં ઉતરવાને નિર્ણય લીધે.
પ્રજામંડલની કારોબારીમાં આ નિર્ણયે વિસંવાદ ઊભો કર્યો સર્વશ્રી દયાશંકર ત્રિકમજી દવે, જેઠાલાલ રૂપાણી, મગનલાલ ગાથા વગેરે વકીલોએ આ લડત બંધારણુંય હેવી જોઈએ એમ કહી રાજીનામાં આપ્યાં.
પ્રજામંડલનો હડતાલ, સભા, સરઘસને કાર્યક્રમ અમલમાં મૂકાય તે પહેલાં રાજ્ય, પ્રજામંડલના મવડીઓ સર્વશ્રી નરોત્તમદાસ લાલજી શેઠ, નૌતમલાલ વ્યાસ, પ્રભુદાસ વખારીયા, ડો. મણિલાલ વૈશ્નવ, રતીલાલ કાનજી દવે, ડો. મહાશંકર, વિઠ્ઠલદાસ, જીવાભાઈ પટેલ વગેરેને પકડી લીધા.
કારાવાસમાં રાખેલા નેતાઓ ઉપર જુલ્મની ઝડી વરસી અને પ્રજામાં દમનને દેર છૂટો મૂકાયો આ લડત વિશેષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પૂ. ગાંધીજીએ, રાજકોટની લડત સંકેલી લેવા આજ્ઞા આપી અને તેથી પ્રજામ ડલે પણ લડત બંધ કરી. તારીખ ૧૩-૨-૧૯૦૯ના રોજ સર્વે જેલવાસી નેતાઓને મુક્ત કરવામાં આવ્યા. પ્રજામંડલની લડત આ પ્રમાણે ભાંગી પડી અને તે સાથે પ્રજામંડલ પણ ભાંગી ગયું
પ્રજામંડલની લડત પડી ભાંગી તેની પાછળ નેતાઓમાં પડેલા તીવ્ર મતભેદ મહદ્ અંશે જવાબદાર હતા. એક પક્ષ, બ્રિટિશ ભારતમાં જે રીતે સત્યાગ્રહની લડત ચાલતી હતી તે ધોરણે સભા, સરઘસ, હડતાલ, સત્યાગ્રહ અને કાનૂનભંગને કાર્યક્રમ વગર વિલંબે અપનાવવાના મતને હતા, જ્યારે બીજો પક્ષ દેશી રાજ્યોની કહાયેલી પ્રજા માટે આ અભિનવ પ્રયોગ કરતાં પહેલાં પ્રજાને તૈયાર કરવા અને તે પછી ઉદ્દામવાદી પગલાં લેવાના મતને હતા. પ્રજા લડત માટે તૈયાર ન હતી. જ્યારે લડતનું અલાન અપાયું ત્યારે પ્રજામંડલની સભામાં, જવાબદાર રાજતંત્રને બદલે, વ્યાપારમાં અને ખેતીમાં લાભદાયક થાય એવી છુટછાટો માગવામાં આવી. રાજ્યની વિરૂદ્ધ બોલવાથી કે ચળવળ કરવાથી સર્વનાશ નેતર પડશે એવી ભીતિ પણ ઘર કરી ગયેલી. શ્રીમંતે, રાજ્ય શ્રિત વ્યાપારીઓ, ઈજારદારો અને કેન્ટાકટર જેવાં કામોમાંથી કમાણી કરતા ગૃહસ્થો, જાગીરદારો અને સરકારી કરો કે તેના આસજને, રાજયને વફાદાર રહેવાની શર્ત જમીને ખાતા બારખલીદાર, મહંત, સંતા વગેરે રાજયની સામે ઉઘાડા ઊડવા તૈયાર ન હતા. ખેત પણ રાજ્યની