________________
બાબી વંશને-અંત : ૩૨૧
ટેકના સાહેબઝાદા સરદારમહમદખાને દીવાન પદ સંભાળ્યું.' - તા. ૩૧-૭-૧૯૪ન્ના દિવસે જૂનાગઢમાં સૌરાષ્ટ્રના રાજાઓની પરિષદ થઈ. નવાબ મહાબતખાને તેમનું સ્વાગત કર્યું. રાજાએ એ બીજા વિશ્વ વિગ્રહમાં બ્રિટીશ સરકારને સહાય આપવા ઠરાવ કર્યો. જૂનાગઢ રાજ્ય પ્રજામંડલ
જૂનાગઢ રાજયમાં વારંવાર થતા કેમી ઉપદ્ર સામે રક્ષણ મેળવવા અને હિન્દુઓને સંગતિ કરવા ઈ. સ. ૧૯૩૦માં હિન્દુ પ્રજામંડલ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી. વેરાવળ હત્યાકાંડ પ્રસંગે અને અન્ય પ્રસંગે આ પ્રજામંડલે સુંદર કાર્ય કર્યું પરંતુ રાષ્ટ્રીય ગ્રેસની નીતિ કેમવદી ન હતી, તેથી આ પ્રજામંડલને કેંગ્રેસને ટેકે મળ્યો નહિ. કેંગ્રેસના ટેકા વગર દેશી રાજ્યમાં કઈ મંડલ કાંઈ અસરકારક કામ કરી શકે નહિ તેથી ઈ. સ. ૧૯૭૨માં રાજકેટમાં મળેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં તેના પ્રમુખ સ્થાનેથી પંડિત જવાહરલાલજીએ આપેલા પ્રેરક પ્રવચન ઉપરથી પ્રેરણા મેળવી, જૂનાગઢના અગ્રગણ્ય નાગરિ કેએ રાજ્ય પ્રજામંડલ સ્થાપવાને વિચાર કર્યો, પરંતુ સંજોગો અનુકૂળ ન હોવાથી તે વિચાર જ્યાં જનમ્યો હતો ત્યાં જ વિરમે.
ઈ. સ. ૧૯૩૭માં બ્રિટિશ ભારતમાં કેમ પ્રધાન મંડલે કામ કરતાં થયાં અને ઈ સ. ૧૯૩૮માં કાઠિયાવાડ રાજકીય પરિષદે રાજકોટમાં જવાબદાર રાજતંત્રની માગણી કરી, તેનો અસ્વીકાર થતાં આ દેલન શરૂ કર્યું. જૂનાગઢના નેતાઓએ આ તક ઝડપી લીધી અને પ્રજામંડલની સ્થાપના કરી જૂનાગઢના રાજકર્તા પાસે જવાબદાર રાજતંત્રની માગણું મૂકી. • પ્રજામંડલના કાર્યકર્તાઓ રાજ્યના તાલુકાઓમાં ઘૂમી વળ્યા અને પ્રજાને જાગૃત કરી. પ્રત્યેક વર્ગના, કેમના અને ધર્મના પ્રજાજને પ્રજામંડલમાં જોડાયા. જૂનાગઢમાં કદી ન જોયેલી કે ન કપેલી જાગૃતિની ઉષા પ્રકાશ પાથરી
રહી.
રાયે પણ આ જાગૃતિને કારણે ઉપસ્થિત થયેલા આંદોલનને કચડી નાખવા, બળ અને બુદ્ધિને ઉપયોગ કરવાને મક્કમ નિર્ધાર કરી, મુસ્લિમોને તેમાંથી જુદા પાડવા પ્રયત્નો કર્યા. તેમને કહેવામાં આવ્યું કે જે જવાબદાર રાજતંત્ર આવશે તો જનસંખ્યાના પ્રમાણમાં પ્રતિનિધિત્વ રહેશે અને મુસ્લિમો
1 રાજવીઓની પરિષદ જ. ગિ –