SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ઃ જૂનાગઢ અને ગિરનાર રાજ્ય કાઉન્સીલમાં, નાયબ દીવાન અબ્દુલકાદર ઉપરાંત રા.બ. શિવદત્તરાય ત્રિકમરાય માંકડ ચાલુ રહ્યા અને તારીખ ૧-૬-૧૯૩૫થી રેવન્યુ કમિશનર મિ. જે. એસ. સિકવેરાને, રેવન્યુ મેમ્બર તરીકે કાઉન્સીલમાં નીમવામાં આવ્યા. રેલવે મેનેજર મિ. જી. ડબલ્યુ. એન. રોઝ વધારાના સભ્ય પદે રહ્યા. સર પેટ્રીક કેડલે, તેની કડક રાજનીતિ, સખત કામ અને ન્યાયવૃત્તિથી રાજ્યમાં શાંતિ સ્થાપી ઘણા જૂના પ્રશ્નોને નિકાલ કર્યો અને વર્ષોથી જામેલા દેશી રાજ્યના ઠંડા વાતાવરણમાં મુક્તિની ઉષ્મા આપી. પરંતુ તે આખરે એક દેશી રાજ્યના દીવાન હતા અને તેને મર્યાદા હતી, તેના કેટલાક હુકમો કાગળ ઉપર જ રહ્યા અને સર પરીક તે જાણ્યા છતાં કાંઈ કરી શકયા નહિ. પ્રભાસપાટણમાં દેહત્સર્ગ ઘાટ ઉપરના શ્રી લક્ષ્મીનારાયણના મંદિરના પ્રશ્નને, રાજ્ય જોહુકમીથી તે મંદિર ઉપર ગેરકાયદેસરની જપ્તી કરી છે તેમ માની તેણે લંબાણ ચર્ચાને અંતે તે હિન્દુઓને સોંપી આપવા હુકમ કર્યો પણ તેને અમલ તે કરાવી શકયા નહિ. દીવાન મિ. જે. એમ. મોન્ટીથ (ઇ. સ. ૧૯૯૫-ઇ. સ. ૧૯૮) - સર પેટ્રીક ફેડલ તેમના હેદાને ત્યાગ કરી તારીખ ૫-૪-૧૯૩૫ના રોજ સ્વદેશ ગયા અને તેને સ્થાને મિ. જે. એમ. મોન્ટીથ નીમાયા. તેણે તેને હેને ચાર્જ તે જ તારીખે સંભાળે. ખા. બ. અબ્દુલકાદરે, જાસા ચિઠ્ઠી કેસ” નામથી જાણીતા થયેલા કેસમાં વેરાવળના પ્રતિષ્ઠિત વકીલ અને અગ્રગણ્ય નાગરિક શ્રી જમનાદાસ છગનલાલ રાઠોડ તથા શ્રી બુઢઢુભાઈ નામના ગૃહસ્થની ધરપકડ કરી, તેઓ નાગરિકે ઉપર જાસા ચિઠ્ઠી ઓ લખે છે એવું તહેમત મૂકયું. આ કેસનું પરિણામ શૂન્યમાં આવ્યું. આ પગલાંથી શાંત થયેલી લાગણીઓ પુનઃ ઉગ્ર થઈ પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહિ ખા. બ. અબ્દુલકાદર તે પછી રાજ્ય સેવાને ત્યાગ કરી ચાલ્યા ગયા. તેની જગ્યાએ ટોકના સાહેબઝાદા સરદારમહમદખાન તારીખ ૨૯-૫-૧૯૩૬થી નીમાયા. મિ. મેન્ટીથી રજા ઉપર સ્વદેશ જતાં શ્રી. સરદારમહમદખાન તારીખ ૨-૭-૧૯૩૬થી તારીખ પ-૧૨-૧૯૩૬ સુધી કાર્યવાહક દીવાન તરીકે રહ્યા. મિ. જે. એમ. એન્ટીથી મોટા દિલના અને કાર્યક્ષમ દીવાન હતા, પરંતુ સર પરીક જેટલી ધગશ તેનામાં ન હતી. તેમની દીવાનગીરીના સમયમાં જૂનાગઢ રાજ્ય પ્રજા મંડલની લડતને પ્રારંભ થયે. મિ. જે એમ. મોન્ટીથ તા. ૧-૮-૧૯૩૮ના રોજ બ્રિટિશ ભારતમાં પાછા ફર્યા અને તે જ તારીખે
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy