SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશને-અંત ઃ ૩૧૯ મહમદભાઈએ તે નિયમની ઉપેક્ષા કરી વાટીને દર હતા તે કરતાં સવા કરે. મિ. કેડલે, વિશેષ ચડાવેલ દર રદ કર્યો. ત્રણ રાહત ધારો ખેડૂત ઉપર શાહુકારોનું મોટું લહેણું હતું અને ખેડૂત દિનપ્રતિદિન અણના બેજમાં દબાતા જતા હતા. તેથી ભાવનગર રાજયે અમલમાં મૂકેલાં ઋણ રાહત ધારા જે એક ધારે જૂનાગઢ રાજ્યમાં લાગુ પાડવામાં આવ્યો. કાપા૫ આગલા સમયમાં વહીવટી ખર્ચ બેફામ વધે અને જૂની પદ્ધતિ વધુ ખર્ચાળ છે એ માન્યતાએ મિ. કેલે, મુંબઈ સરકારના મિ. કાપડીયાને નિમણુક આપી કાપકુપી માટે સૂચને માગ્યાં. મિ. કાપડીયાનાં સૂચનોને સંપૂર્ણ અમલ થયો નહિ. ગીતા મંદિર જૂનાગઢ શહેરમાં સુખનાથ ચેકમાં સુખનાથ મહાદેવનું પુરાતન મંદિર છે, તેના મહંત મેસગર મહારાજે આ સ્થાનને ભવ્ય અને સમૃદ્ધ બનાવ્યું હતું. પણ તેના મૃત્યુ પછી તેની ચોથી પેઢી બે આવેલા મહંત ગુલાબગિરિએ આ જગ્યાનાં મકાને પરધર્મીઓને વેચી નાખ્યાં છે અને મંદિર પણ વેચવાનું સાટું કર્યું છે એવી શંકા શ્રો સુંદરજી પઢીયાર નામના આગેવાનને મળતાં, તેણે અનેક આપત્તિઓ અને અવરોધોને સામનો કરી ગિરનાર ઉપર જટાશંકર ધર્મશાળા, આ સમયમાં નિર્માણ કરનાર પૂ. રામાનંદજી મહારાજના સહગથી આ મંદિર ખરીદી લીધું. આ પ્રશ્ન હિત ધરાવતા કેટલાક માણસેએ ઉપાધિ ઊભી કરવા ધારેલું પણ કાયદે હાથમાં ન લેતાં રાજ્યની અદાલતને આ મામલે સંપતાં બધી પ્રવૃત્તિઓ શાંત થઈ ગઈ. - મિ. પરીક કેલને, જૂનાગઢની દીવાનગીરી દરમ્યાન બ્રિટિશ સરકારે નાઈટહુડ આપ્યું. તેઓ તારીખ ૯-૪-૧૯૩૪થી રજા ભોગવવા સ્વદેશ ગયા. તેની ગેરહાજરીમાં કાર્યવાહક દીવાન તરીકે મુંબઈ ઈલાકાના ઉત્તર વિભાગના કમિશનર મિ. જે. એમ. એન્ટીથ આવ્યા. સર પેટ્રીક રજા ઉપરથી પાછા ફર્યા ત્યારે મિ. મેટીય મૂળ સ્થાને પાછા ગયા. સર પેટી કે તેના મંત્રી મંડલમાં ખા. બ. અબ્દુલકાદર મહમદહુસેન નામના સિંધી ગૃહસ્થની નાયબ દીવાનપદે નિમણૂક કરી. તેમણે તેમની જગ્યાને ચાર્જ તારીખ ૧-૨-૧૯૩૫ના રોજ લીધો.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy