SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૂનાગઢ અને ગિરનાર તેનું જે પરિણામ આવે તે આવ્યું અને મહમદભાઇને અંતે વિષ પ્રયોગ કરી જીવનને અંત આણવો પડે. મહમભાઈ સ્વભાવે આનંદી, મેછલા અને ઉદાર હતા. તેઓ ખેરાત અને ઈનામ, બક્ષિસ કે મદદ આપવામાં સખી હતા. કામ પણ ઘણું કરતા, કલમ ઉપર કાબૂ પણ સારે છે. પરંતુ તેની યુવાન વયને લાભ લેવામાં આવ્યો અને તેને ગ્ય માર્ગદર્શન તેના સલાહકાર તરફથી મળ્યું નહિ અને સ્વતંત્ર નિર્ણય લેવામાં કેટલાંક ત અવરોધક થયાં, પરિણામે તેનું પતન થયું. દીવાન મિ. પી. આર. કેડલ (ઇ. સ. ૧૯ર-ઇ સ. ૧૯૩૫) મિ. પી. આર. કેડલે તારીખ ૨-૨-૧૯૩૨ના રોજ દીવાન પદ સંભાળ્યું. રાજયમાં ફેલાયેલી અંધાધૂંધી અને કેમવાદી અશાંતિ વખતે જેવા કડક અને નિડર દીવાનની જરૂર હતી તેવા આ અંગ્રેજ અધિકારીએ, શેઠા જ દિવસોમાં, તોફાની તત્તને ચૂપ કરી દીધાં અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપી, શાંતિ અને સલામતી જે ઘણા વખતથી વિદાઈ લઈ ગયેલાં તેને સ્થિર કર્યા. ન્યાય ખાતું નિષ્પક્ષપાત અને નિર્મળ હેવું જોઈએ તેવી ભાવનાથી તેણે ચીફ જયુડિશ્યલ ઓફિસરની જગ્યાએ શ્રી બી. એન. સંજાણ નામના પારસી ન્યાયાધીશની નિમણૂક કરી. વેરાવળ ખૂન કેસના આરોપીઓ સેશન્સ કમિટ થતાં શ્રી. સંજાણાએ સેશન્સ જજ તરીકે કામ કર્યું અને સર્વે આરોપીઓને ફાંસીની સજા કરી. તેના ઉપર હાઈર્ટ તરીકે રાજ્ય અંગ્રેજ ન્યાયાધીશ મિ. એચ. પી. એચ. જેલીને નીમ્યા અને તેણે આ સજા કાયમ રાખી રાજ્ય અપરાધીઓની માગણે નારી અને ફાંસીની સજાઓને અમલ કરવામાં આવ્યો. ગુપ્ત પ્રયાગનાં તેફાને વખતે અને વેરાવળના ખૂન પ્રસંગે જૂનાગઢ રાજ્યના તત્કાલિન પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી છેલશંકર જ્યકૃષ્ણ દવેએ અપૂર્વ કુનેહ, અપ્રતિમ હિમ્મત અને સંપૂર્ણપણે તટસ્થ રહી જે પ્રકારે કામગીરી બજાવી તે માટે બંને કેમેરામાં તે કપ્રિય થયા અને તે પછી મિ. કેડલને પૂર્ણ સહયોગ આપી કોમવાદના હિંસક તાંડવને નષ્ટ કરવામાં તેણે અગ્ર ભાગ ભજવ્યું. વિઘોટી વિટીની આકારણી નિયમ મુજબ દર વીશ વર્ષે થાય તેમ છતાં દીવાન
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy