________________
બાબી વંશના-અત્ત ઃ ૩૧૭
સત્તા સેાંપો નવાબ બ્રિટિશ સરકારની આજ્ઞાનુસાર છ માસ માટે જામનગર રાજ્યના ભાલાચડી ગામે રહેવા ચાલ્યા ગયા.
મહમદભાઈ પ્રથમ રા ઉપર ઉતર્યાં અને તે સાથે નવાબે ઔપચારિક રીતે તા. ૨૧-૨-૧૯૩૨ના રાજ નં. ૧૧૬/૩૨નું ફરમાન -બહાર પાડી તેની નાકરીની કદર કરી, પણ તરત જ નં. ૧૧૭/૩રનું ફરમાન તારીખ ૨૯-૨૧૯૩૨ના રાજ બહાર પાડી આંગલા ફરમાન ઉપર પાણી ફેરવી દીધું. તેમાં જણાવ્યું કે, મહંમદભાઈની રજા પૂરી થયે તે રાજ્યની સેવામાંથી નિવૃત્ત થાય અને તે રાજ્યના દીવાન અને વજીર હતા તે વખતે તે ભાગવતા તેવા કાઈ. અધિકાર તેની પાસે નહિ રહે અને તે માત્ર અમીર તરીકે જ ચાલુ રહેશ.
મહમદભાઇ તે પછી તેની જાગીરના ગામ અગતરાયમાં રહેવા ચાલ્યા ગયા. ઈ. સ. ૧૯૩૪માં નવાબે તેની જાગીર તથા મિલકત ખાલસા કરી તેને જૂનાગઢની હદ છેાડી જવા ફરમાન કર્યું. મહમદભાઈ મુંબઈ ગયા જ્યાં તેમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ અને કરજદાર સ્થિતિનાંથી બચવા તેણે અફીણ ખાઈ તા. ૭ મી ડીસેમ્બર ૧૯૩૯'ના રાજ આપધાત કર્યાં, તેના મૃતદેહને વજીર બહુ ઉદ્દીનભાઈના મકબરામાં દફન કરવા રેલવે રસ્તે લાવવામાં આવ્યા પણ નવાબે તેના શબને પણ જૂનાગઢમાં લાવવા મનાઇ કરી, અંતે તેના આપ્તજાની વિનંતી સ્વીકારી અગતરાયના આમ કબ્રસ્તાનમાં તેને દફન કરવા રજા આપી.
મહંમદભાઈના પિતા અબ્દલાભાઈ, વજીર બહાઉદ્દીનભાઈના ભાઈ નથુભાઈના પુત્ર હતા. બાલ્યવયથી તે મહાબતખાનના સહચર હતા તેઓએ અભ્યાસ પણ સાથે જ કરેલા અને ઈંગ્લાંડ પણ સાથે ગયેલા. તેમને વજીર પદ મળ્યુ પણ તેનાથી સ ંતોષ ન પામતાં તે યુવાન વયમાં દીવાનપદે આવ્યા. જૂનાગઢ જેવા પ્રથમ વર્ગના રાજ્ય માટે, જ્યાં રાજકર્તા મુસ્લિમ અને પ્રાના ૮૨ ટકા ભાગ હિન્દુ હોય, જ્યાં નવાબ યુવાન હેાય અને જ્યાંના પ્રશ્નો અન્ય રાજ્યાના પ્રશ્નો કરતાં નિરાળા હોય ત્યાં અપરિપકવ બુદ્ધિ અને અનુભવ રહિત એક યુવાન અમીરના હાથમાં તંત્રના સ્વતંત્ર ાર આપતાં
1 મહમદભાઈના મૃત્યુની ચાકકસ તારીખ મળી નથી પણ પૂર્વે તેણે કેટલાક કાગળા લખ્યા છે તેમાંના છેલ્લા પત્ર તા. ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૯૩૯ને છે તેના ઉપરથી આ તારીખ લીધી છે. આ પત્રા કરૂણ અને હૃદયદ્રાવક છે, તેમાં તેની નિ:સહાયતાનું સચાટ વર્ણન છે.