________________
૩૧૬ ઃ જૂનાગઢ અને ગિરનાર
કાઉન્સીલના સભ્યોને લઇને તે રાજકોટ ગયા અને એજન્ટે તેની પાસેથી માહિતી મેળવી. તારીખ ૧૭–૧-૧૯૩૧ના રોજ પોતે જૂનાગઢ આવ્યા.
નવાબે એજન્ટ ટુ ધી ગવર્નર જનરલને પિતાની નિસહાય સ્થિતિનું - વર્ણન કરી પિત દેવડા ચાલ્યા ગયા. મહમદભાઈએ તેના ગુરુ શામી પીર અને શ્રી. ઈસ્માઈલ અડાની સાથે ચર્ચા વિચારણું કરી મુસ્લિમોની માગણી સંતોષવામાં આવશે એવું વચન આપતાં તારીખ ર૦-૧૧-૧૯૭૫ના રોજ મુસ્લિમોએ સત્યાગ્રહ પાછા ખેંચી લીધો. - રાજતંત્ર લગભગ ખેરવાઈ ગયું હતું. એક વર્તમાન પત્રે લખેલું કે જુલાઈ માસથી રાજ્યનાં તમામ ખાતાંઓનું કામ ઝકડાઈ ગયું છે. બધા અમલદારે, મહમદભાઈથી માંડીને હવાલદાર સુધીના જાણે નિષ્ક્રિય બની ગયા છે. મહાલેના અગત્યના કાગળે ને કોઈ જવાબ પણ નથી વાળતું. પોલીસ ખાતાની અતિ જરૂરી ટપાલને દિવસ સુધી કોઈ નિર્ણય નથી આપતું. સરદારબાગમાં, પિતપોતાની જગ્યા સાચવવાની ચિંતાના વિચારો અને વાટાઘાટો સિવાય લાખો પ્રજાજનોનાં હિત, સલામતી કે સગવડ અગવડને કોઈ વિચાર જ નથી કરતું.” : આવા વાતાવરણમાં મહમદભાઈએ રાજતંત્ર ઉપરથી તેને કાબૂ ગુમાવી દીધો. રાજ્યનાં અન્ય નગરે અને ગામોમાં કોમવાદી પ્રવૃત્તિ મર્યાદા ઓળંગી ગઈ. તારીખ ૨૮--૧૯૩ના રોજ જૂનાગઢથી માત્ર નવ માઈલ દૂર આવેલા વંથળીમાં ભારે હુલ્લડ થયું. કેશોદમાં ધૂળેટીના દિવસે જ કેમવાદી તેફાને થયાં. માળિયા તથા વિસાવદરમાં પણ નાનાં નાનાં છમકલાં થયાં. અરાજકતા વ્યાપ્ત થઈ ગઈ અને વાના દર્દની જેમ એક સ્થળે શાંતિ થાય ત્યાં બીજા સ્થળે અશાંતિ ઉત્પન્ન થતી ગઈ. મહમદભાઇની બરતરફી
સાર્વભૌમ સત્તા આ પરિસ્થિતિ વિશેષ સમય ચલાવી લે તેમ હતું નહિ. નવાબ મહાબતખાનને તથા દીવાન મહમદભાઈને ગવર્નર જનરલે દિલ્હી બોલાવ્યા. ત્યાં ગમે તે બન્યું હોય પણ પરિણામ એ આવ્યું કે દિલ્હીથી પાછા આવી નવાબે તેના પ્રિય મિત્ર અને સખા મહમદભાઈની દીવાનગીરી મોકુફ કરી તેની સાથે મિ. (પાછળથી સર) પેટ્રીક કેલની દીવાનપદે નિમણુક કરી તેને સર્વ
1 “સૌરાષ્ટ્ર” તારીખ ૧૨-૧૨-૧૯૩૧