________________
બાબી વંશને અંત ઃ ૩૧૫
જૂનાગઢના મુસ્લિમોએ, શ્રી ઈસ્માઈલ અબ્રેહાનીના નેતૃત્વ નીચે તારીખ ૧ર-૧૧-૧૯૩૧ના રોજ નવાબના રાજમહેલના દ્વારે જઈ, જ્યાં સુધી તેમની માગણી ન સંતોષાય ત્યાં સુધી સત્યાગ્રહ કરશે એમ જાહેર કરી મોટી સંખ્યામાં સરદારબાગ પાસે બેઠા. તેમણે જે માગણીઓ મૂકી તે રાજ્ય ઉતાવળે સ્વીકારી શકે એમ હતું નહિ. નવાબ, સરદારબ ગ છોડી રસુલગુલઝાર [વર્તમાન રસિક નિવાસ] ચાલ્યા ગયા તે સત્યાગ્રહીઓ ત્યાં ગયાં. હિન્દુ આગેવાનેએ આ માગણી ઓ સામે બીજી માગણીઓ મૂકી અને જૂનાગઢનું તંત્ર સર્વથા શિથિલ થઈ ગયું અને રાજયમાં, વ્યવસ્થા ભાંગી પડવાની સ્થિતિમાં આવી ગઈ. અંધાધૂંધી
સૌરાષ્ટ્રના પ્રથમ વર્ગના રાજ્યના પાટનગરમાં આવી અવ્યવસ્થા થાય તે ચલાવી લેવા એજન્સી તૈયાર ન હતી. બ્રિટિશ હિન્દમાં જ્યારે સત્યાગ્રહની લડત ચાલી રહી હતી ત્યારે સૌરાષ્ટ્રમાં અશાંતિ ફેલાય તે બ્રિટિશ શાસકેને પિસાય નહિ તેવું હતું, તેથી રાજ્ય ઉપર એજન્સીનું દબાણ દિનપ્રતિદિન વધતું ગયું. નવાબની મૂંઝવણ વધી ગઈ. દીવાન શેખ મહમદભાઈ જે કાંઈ પણ જવાબ આપતા કે જે પગલાં લેતા તેમાં નવાબના નામને ઉપયોગ કરતા અને આ ભયંકર પરિસ્થિતિમાં ગુંચવાઈ ગયેલા રાજયના તંત્રની જવાબદારી સ્વીકારવા તે તૈયાર ન હતા. તેથી નવાબે એજન્સીની સલાહથી રાજ્ય કાઉન્સીલની સ્થાપના કરી તેના પ્રમુખ પોત થયા, દીવાન ઉપપ્રમુખ થયા અને રા. બ. શિવદત્તરાય માંકડ તથા કેપ્ટન છે. બી. વિલિયમ્સ સભ્ય થયા. અને શ્રી. એ. કે. વાય. અહાની તેના સચિવ થયા. નવાબે પિતાની સમગ્ર સત્તા ઉપપ્રમુખને આપી. આ કાઉન્સીલ ઈ. સ. ૧૯૩૧ના ઓકટોબરથી અસ્તિત્વમાં આવી.
મુસ્લિમોએ તેમના સત્યાગ્રહનું આંદોલન સવિશેષ વ્યવસ્થિત અને દઢ બનાવ્યું. સરદારબાગ પાસે ઈદગાહ છે ત્યાં હજારે મુસ્લિમો ધારણે બેઠા. રાજ્યના જુદા જુદા ગામના મુસિલમે આ જેહાદમાં જોડાયા. પર રાજ્યો અને પ્રાન્તામાંથી ફકીરે, પીરો, દરવેશો, મૌલવીઓ અને ઉલેમાઓ આવ્યા અને ઠેર ઠેર ગરમ ગરમ ભાષણ થવા લાગ્યાં. કેમવાદી વર્તમાન પત્રે એ જોરશોરથી લેબ લખવા માંડયા અને રાજ્યની પરિસ્થિતિ વિષમ થઈ ગઈ. અજન્સી પણ ચિંતાતુર થઈ ગઈ. રાજકેટથી દીવાન મહમદ ભાઈને, એજન્ટ ટુ ધી ગવર્નર જનરલનું તેડું આવ્યું અને તે મિ. સીમ્સ તથા