________________
૩૧૪ઃ જૂનાગઢ અને ગિરનાર ધોળે દિવસે વ્યવસ્થિત રીતિ ખૂને કરવામાં આવ્યાં તથા શ્રી લક્ષ્મીચંદ માણેકચંદ, શ્રી છોટાલાલ રાયચંદ, શ્રી ખારવા દામજી, શ્રી હરખચંદ ખુશાલ, શ્રી પ્રેમજી ગોવિંદજી તથા શ્રી ભઈ ભવાન વગેરેને સખત ઘાયલ કરવામાં આવ્યા.
- અચાનક થયેલા આ અત્યાચારના સમાચારથી દેશભરમાં રોષની લાગણી પ્રસરી ગઈ. કેમવાદના ભયંકર રાક્ષસે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક ભીષણ દાવાનલ પ્રજ્વલિત કરી તેમાં શાંતિ અને સલામતિને ભસ્મિભૂત કર્યા હતાં. ચંકી ઊઠેલી હિન્દુ પ્રજા ભયભીત થઈ ગઈ, વેરાવળમાં હડતાલ પડી અને નગરજને એ હિજરત શરૂ કરી. જૂનાગઢ અને રાજ્યના અન્ય નગરોએ પણ સભાઓ અને હડતાલને રાહ લીધો.
આ સમાચાર સાંભળી ટ્રેનમાં જૂનાગઢથી વેરાવળ જઈ પહોંચેલા દીવાન મહમદભાઈ, ડે. ગોરધનદાસના પત્ની શ્રીમતી મણિબહેનને શાંત્વન આપવા ગયા ત્યારે તેણે અશુપૂર્ણ નેત્રે અને ગળગળતા પણ મક્કમ સ્વરે તેની વ્યથા ઠાલવી તેને થયેલા આઘાતને જવાબ માગે. મહમદભાઈ તેને શાંત્વન આપી શકયા નહિ પણ તેને શાપ અંતરમાં ભરી ચાલ્યા ગયા.
આ સમયે પિલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી. છેલશંકર દવે હતા. આ અનુભવી અને નિડર અમલદારે, હિમ્મતપૂર્વક, ખૂનીઓને પકડી લીધા અને વેરાવળમાં કડક પોલીસ બંદોબસ્ત કરી, અસામાજિક તને તેની ગોઝારી પ્રવૃત્તિ કરતા અટકાવી દીધા. કેપ્ટન છે. બી. વિલિયમ્સ પણ ત્યાં થાણું નાખી અરાજક્તા અને અશાંતિને દૂર કરવા પ્રયત્ન કર્યા.
આ હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે જૂનાગઢમાં શ્રી. નરસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટીની આગેવાની નીચે હિન્દુઓનું પ્રચંડ સરઘસ નવાબ પાસે ગયું અને દાદ માગી. વેરાવળ અને બીજાં શહેરમાં જ્યાં સુધી હિન્દુઓને તેમના જાનમાલની સલામતિની ખાત્રી નહિ મળે ત્યાં સુધી વ્યાપાર ધંધા બંધ રહેશે એ પણ સમસ્ત રાજ્યના આગેવાનોની મળેલી સભાએ નિર્ણય લીધે.
દરમ્યાનમાં પંડિત આનંદપ્રિયજી, “સૌરાષ્ટ્રના તંત્રી શ્રી અમૃતલાલા દલપતભાઈ શેઠ, શ્રી. છગનલાલ પ્રભુદાસ વગેરે આવી પહોંચ્યા અને કેપ્ટન છ બી. વિલિયમ્સ, પિલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી. છેલશંકર વ્યાસ વગેરેના પ્રયાસેથી તારીખ ૨૨-૮-૧૯૩૧ના રોજ હડતાલ ખોલી નાખવામાં આવી.
હડતાલ ખેલાવતી વખતે કેપ્ટન વિલિયમ્સ, પ્રદર્શિત કરેલી દિલગીરી અને ન્યાય માટે આપેલી ખાત્રીથી મુસ્લિમોના હિત જોખમાય છે તેમ કહી