________________
બાબી વંશને–અંત ઃ ૩૧૩
બનાવટી અને નિર્માલ્ય પુરાઓના આધારે પોલીસે કરેલ કેસ સાબિત માનવામાં આવ્યો તે પાછળ કોમવાદી માનસ છે તેમ માની જૂનાગઢ અને અન્ય નગરો અને ગામોની પ્રજા એક સાથે ઊડી. તારીખ ૩-૪-૧૯૩૧ના રોજ આખા રાજયમાં હડતાલ પડી અને પ્રજાનાં ઉગ્ર રોષને વાચા આપવા જૂનાગઢમાં, ભાટીયા ધર્મશાળામાં વકીલ નરસિંહપ્રસાદ કહાનદાસ નાણાવટીના પ્રમુખ સ્થાને એક સભા યોજવામાં આવી અને તેમાં લેવાયેલા નિર્ણય અનુસાર તારીખ ૬-૪-૧૯૩૧ના રોજ એક ડેપ્યુટેશન દીવાન મહમદભાઈને મળવા ગયું અને તેને આ ફેંસલા ઉપરની અપીલ સાંભળવા નિષ્પક્ષપાત ન્યાયાધીશ નીમવાની માગણી કરી. મહમદભાઈએ ડેપ્યુટેશનને શાંતિપૂર્વક સાંભળી, આ વિષયમાં નવાબને પૂછી તે જરૂર યોગ્ય કરશે તેવી ખાત્રી આપી.
ચીફ જ્યુડીશિયલ ઓફિસર સર મહેબુબીયાં કાદરી ઈ. સ. ૧૯૩૦માં રાજયની સેવાને ત્યાગ કરી ચાલ્યા ગયા હતા અને તે જગ્યા ખાલી હતી, તેને ચાજ પણ શ્રી કરીમ મહમદ માસ્તર પાસે હતા. તે આ કેસની અપીલ ચલાવી શકે નહિ તેથી નવીન નિમણુક આવશ્યક હતી. દીવાન મહમદભાઈએ તે જગ્યા ઉપર રાજકોટના બેરીસ્ટર મસુરકરની નિમણૂક કરી. પણ વેરાવળ ખૂન કેસની અપીલ તે ન હિંદુ હોય કે ન મુસલમાન હોય એવા જજ સાંભળે એવી ડેપ્યુટેશનની માગણી હતી. તેથી રાજય સરકારે તારીખ ૨-૫-૧૯૩૧ના હુકમ નંબર ૮/૧૯૩થી એજન્સીના અંગ્રેજ જયુડીશિયલ કમિશનર મિ. એચ. પી. એચ. જાલીની નિમણૂક કરી.
મિ. જોલીએ આ કેસની અપીલ સાંભળી, તારીખ ૩૧-૫-૯૩૧ન રે જ ઠરાવ આપી સર્વે આરોપીઓને નિર્દોષ ગણી છેડી મૂક્યા.
શ્રી મયુરેકરને પણ જાસાઓ મળતાં તે પણ રાજ્ય સેવા ત્યાગી રાજકેટ ચાલ્યા ગયા.
આ સમય દરમ્યાન દીવાન મહમદભાઈને સી. આઈ. ઈ. ને ચંદ્રક મળતાં તેમજ વેરાવળ કેસમાં ન્યાય મળ્યો હતો તેથી તેને પ્રજા તરફથી માનપત્રો એનાયત કરવામાં આવ્યાં ઈ. સ. ૧૯૩૧ને આખા જૂન માસ માનપત્રો લેવામાં જ દીવાને વિતાવ્યો અને લેક લાગણી શાંત થઈ ગઈ છે તેને અનુભવ કર્યો, પણ તેના ભાગ્યમાં શાંતિ હતી નહિ તારીખ ૧૮-૭-૧૯૩૧ના રોજ વેરાવળમાં, ઉમ્ર બનેલી મુસ્લિમ પ્રવૃત્તિના ફલ સ્વરૂપે. ત્યાંના હિન્દુ આગેવાને ડો. ગોરધનદાસ ખંઢેરીયા, શેઠ ગોવિંદજી ખુશાલ, શ્રી જમનાદાસ કાલીદાસ તંબોળી, શ્રી છોટાલાલ નારણજી તથા શ્રી રામજી પ્રેમજી સોનાં જ. ગિ-૪