________________
૩૧૨ : જૂનાગઢ અને ગિરનાર
આગેવાની નીચે સર્વશ્રી મૌલવી મહમદ દાઉદી, ખા બ હાજી અબ્દલા હાસમ, સૈયદ મુર્તઝામીયા વગેરેનું બનેલું એક મુસ્લિમ ડેપ્યુટેશન દીવાન મહમદભાઈને મળ્યું, - આ પ્રશ્ન દીવાન મહામભાઈ વિચારતા રહ્યા અને જેમ જેમ સમય જતે ગયો તેમ તેમ તેના ઉપર વિવિધ પ્રકારનું દબાણ થતું રહ્યું. અંતે તેણે તારીખ ૧૨-૭-૧૯૩૦ના રોજ એક ઠરાવ બહાર પાડયો જેમાં મુસ્લિમોને ફતેહા પડવા જવાના હક્કને સ્વીકાર કરવામાં આવ્યો.
આ સમયે બ્રિટિશ ભારતમાં સત્યાગ્રહની ઐતિહાસિક લડત પૂરજોશમાં ચાલતી હતી, એટલે ત્યાંથી તે માટે કોઈ આગેવાને આવી શકે એમ હતું નહિ. તેથી તે હુકમ સામે ધાર્યા એટલે વિરોધ થયો નહિ, પરંતુ તેમને મળેલા હકકથી સંતોષ ન માનતાં તારીખ ૧૮-૨-૧૮૩૦ના રોજ ઉનાના કેટલાક મુસ્લિમોએ ઉનાની બજારમાં હુલ્લડ કરી, હિંદુઓની દુકાને લૂંટી અને કેટલાક માણસને માર માર્યો. પોલીસ ઈન્સ્પેકટર શ્રી ગિજુભાઈ છાયાએ તરત જ મામલે કાબૂમાં લીધો અને રાજ્ય ત્યાં લશ્કર મેકલી માશલા લે જાહેર કર્યો.
મુસ્લિમ કહેવાતી કબર પાસે ફાતિહા પડવા જવાના મહમદભાઈએ બક્ષેલા હક્કનું પ્રતિપાદન કરવા પ્રયત્ન કર્યા પણ રાજ્યના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી છેલશંકર દવેની હિંમત અને કૂનેહથી શાંતિ જળવાઈ રહી.
આમ રાજયમાં, કાયદો અને વ્યવસ્થા ભયમાં આવી પડ્યાં. વિસાવદર, કેશોદ, માળિયા વગેરે સ્થળોએ પણ નાના મોટા બનાવો બનતા રહ્યા અને દીવાન, નિષ્પક્ષપાત નીતિ અને ન્યાયના સિદ્ધાંત અનુસાર સમતોલપણું જાળવી
શકયા નહિ..
વેરાવળ
ગુપ્ત પ્રયાગને પ્રશ્ન હજી સળગતા હતા ત્યાં તારીખ ૧-૧૦-૧૩૦ના રેજ વેરાવળમાં નુરમહમદ ઈબ્રાહીમ નામના આઠ વર્ષના મુસ્લિમ બાળકને મૃતદેહ મળી આવ્યું. આ બાળકને હિન્દુઓએ દેવીને ભેગ ચઠાવ્યો છે તેમ માની પોલીસે ૧૭ હિન્દુઓને પકડી તેના ઉપર ખૂનને આરોપ મૂકી કેસ કર્યો. નીચેની અદાલત, રબારી પુજા છવા તથા રબારી કાના જવાને નિર્દોષ ગણ છોડી મૂક્યા, પણ સેશન્સ અદાલતના જજ શ્રી કરીમ મહમદ માસ્તરે, બાવા શામદાસ રામદાસને ફાંસીની તથા સેની વસનજી ત્રિકમજી, વિપ્ર હીરજી કુરજી તથા ભાટ વસનજી લાલાને જન્મટીપની સજા કરી.
આ ચુકાદાથી હિન્દુ જનતા કી ઊઠી. ગણનામાં ન લઈ શકાય તેવા