________________
બાબી વંશને-અંત ઃ ૩૧૧ ઉના દેલવાડાના હિન્દુઓ એ તેના વિરોધમાં હડતાલ પાડી, પણ રાજ્ય વચમાં પડી માફ્રામાફી કરાવી મામલો થાળે પાડ્યો.
એ પછી આ પ્રશ્ન શાંત પડવાને બદલે સવિશેષ ઉગ્ર બને. આ તીર્થમાં એક સાધુની સમાધિ હતી તે મુસ્લિમ સંતની કબર છે તે દાવ આગળ કરી ત્યાં મુસ્લિમોને ફાતિહા પડવાને અધિકાર છે એમ કહી વિ. સ. ૧૯૮૫ના શ્રાવણ માસની વદી ૧૪ના રોજ મુસ્લિમોએ ત્યાં મોટી સંખ્યામાં જઈ તીર્થની અમર્યાદ કરી. આથી વળી પાછો આ પ્રશ્ન સવિશેષ જટિલ થયો. હિંદુ પ્રજાએ હડતાલ પાડી અને હિન્દુઓને થતા અન્યાય અને અપમાનને જવાબ માગવા આ દેલનનું આયલાન થયું.
રાજ્યને મળેલી ફરિયાદ ઉપરથી, દીવાન મહમદભાઈએ, મિલિટરી સેક્રેટરી કેપ્ટન એફ. બી. એન. ટીલે, ચીફ જ્યુડીશિયલ ઓફિસર ખા. બ. [પાછળથી સર] મહેબુબીયાં કાદરી, તથા શ્રી. [પાછળથી રા. બ] શિવદત્તરાય ત્રિકમરાયા માંકડને જાત તપાસ માટે ગુપ્ત પ્રયાગ મોકલ્યા.
આ અધિકારીઓએ સ્થળ જોયા પછી જવાબદાર શખસને પૂછપરછ કરી અને તે પછી તત્કાલિન દીવાન ઓફિસના મેનેજર અને ઉનાના માજી વહીવટદાર શ્રી. માનસિ હ મંગલજી, તત્કાલિન રેવન્યુ કમિશ્નર અને ઉનાના માજી વહીવટદાર શ્રી. જે. એસ. સિકવેરા, તત્કાલિન સરન્યાયાધીશ અને ઉનાના માજી મુન્સફ શ્રી. મહાસુખરાય મથુરાદાસ વસાવડા વગેરેની જુબાનીઓ લીધી. તેઓનાં નિવેદનથી ધાર્યું પરિણામ નહિ આવે એમ માની ખા. બ. મહેબુબમીયાં કાદરીએ આ પ્રસંગે યોજાયેલી સભામાં, એમ કહ્યું કે હિન્દુ, મુસ્લિમ આગેવાને, નામદાર દીવાન સાહેબ જે ફેંસલે કરે તે સ્વીકારશે કે કેમ ? કહેવાય છે કે આ પ્રસંગે હિન્દુ આગેવાનોને દબાવીને હા પાડાવવામાં આવી.
આ સભા થયા પછી હિન્દુઓ, ન્યાય મળશે તે વિશ્વાસે રાહ જોઈ રહ્યા હતા ત્યાં તારીખ ૧૩-૧૦-૧૯૨૯ના રોજ દીવાને એવો ઠરાવ આપ્યો કે ગુપ્ત પ્રયાગના તીર્થમાં દીવાલ ચણી લઈ મુસ્લિમોને ભાગ જુદો પાડી આપ. આ ઠરાવ બહાર પડતાં જૂનાગઢ રાજ્યમાં અને રાજ્ય બહાર વ્યાપક વિરોધ થયે અને મુંબઈમાં ગુપ્ત પ્રયાગ સંરક્ષણ સમિતિની સ્થાપના કરવામાં આવી. આ સમિતિના ઉપક્રમે, પરસોત્તમદાસ ઠાકોરદાસની આગેવાની નીચે સર્વશ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, તંત્રી સૌરાષ્ટ્ર', વામન મુકાદમ, રાજા બહાદુર નારાયણલાલ બંસીલાલ પિત્તિ, પંડિત આનંદપ્રિયજી વગેરેનું બનેલું એક ડેપ્યુટેશન જૂનાગઢ આવ્યું. દીવાને આ ગૃહસ્થોને સાંભળી તેમને આશ્વાસન આપ્યું. તે પછી તારીખ ૨૯-૧૧-૧૯૨૯ના રોજ મુંબઈના સર ઈબ્રાહીમ હારૂન જાફરની