________________
બાબી વંશને-અંત : ૩૯
સરકારી નોકરને મળતી મેંઘવારી પગારમાં ભેળવી દેવાની, નિવૃત્ત વેતન ૧/૩ હતું તેને બદલે ૧/૨ કરવાની અને નિવૃત્ત વયની મર્યાદા ૬૦ વર્ષની કરવાની પણ જાહેરાત કરી.
ઈ. સ. ૧૯૨૨ના જૂન માસની ૨૩મી તારીખે, યુવરાજ દીલાવરખાનજીને જન્મ થયે તેની ખુશાલીમાં નવાબે, ખેડૂત ઉપરનાં જૂનાં લહેણું માંડી વાળવાની, શિક્ષકને પેનશન આપવાની, પ્રોવિડન્ટ ફંડમાં રાજ્ય ઉમેરેલી રકમ પાછી રીફંડ ન લેવાની, તથા કેટલાક પરચુરણ વેરાઓ કાઢી નાખવાની પણ આજ્ઞા કરી. આ જાહેરાત કરતાં તેણે કહ્યું કે “પ્રજાના હિત માટેની યોજના કરવાનું અમે અમારી ફરજ સમજીએ છીએ.” દીવાને [ઇ. સ. ૧૨૦-ઈ. સ. ૧૯૨૪]
નવાબ મહાબતખાન ગાદીએ બેઠા ત્યારે મુંબઈ સરકારે પસંદ કરેલા દીવાન બહાદુર ટી. છજુરામે તારીખ ૩૧-૩-૧૯૨૦ ના રે જ ચાર્જ સંભાળ્યો તે પૂર્વ તેઓ રાજસ્થાનમાં જુદા જુદા રાજ્યમાં દીવાન પદે રહ્યા હતા એટલે વયેવૃદ્ધ અને પૂર્ણ અનુભવી હતા. તેની સાથે જ વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ શ્રી. મહમદઅમીન ફકીહને નાયબ દીવાન પદે નીમવામાં આવ્યા.
ટી. છજજુરામ, પીઢ અને ગંભીર રાજપુરુષ હતા. તેને યુવાન નવાબ સાથે કામ કરવાનું કેટલાંક કારણસર અયોગ્ય લાગ્યું અને તેથી તેઓ રાજીનામું આપી ચાલ્યા ગયા નવા દીવાનની પસંદગી થાય ત્યાં સુધી આસિસ્ટંટ એડમિનીસ્ટેર હતા તે શ્રી. અનંત સદાશિવ તાબેએ તારીખ ૧૨-૫-૧૯૨૦ ના રેજ દીવાનપદ સંભાળ્યું.
નવાબની ઈચ્છા, જૂનાગઢના જ વતની હોય તેવા દીવાનને રાખવાની હતી. તેથી તેમણે સરકારી વકીલને હેદો ભોગવતા શ્રી. પાછળથી રાવબહાદુર ત્રિભોવનરાય દુલેરાય રાણીની નિમણૂક કરતાં તેમણે તારીખ ૨૫-૪-૧૯૨૧ ના રોજ દીવાન પદ સંભાળ્યું. તેમને પણ રાજ્યદ્વારી કારણસર ઈ. સ. ૧૯૨૩ના
1 તે સાથે મહેસૂલ અધિકારી પદે શ્રી મોતીલાલ ઝવેરચંદ વસાવડા, પોલીસ વડાને પદે
શ્રી ધીરજરાય અંબારામ છાયા, હિસાબી દફતરના અધિકારી પદે શ્રી મણિલાલ કેશવલાલ નાણાવટી, જંગલખાતાના અધિકારી તરીકે શ્રી જયંતિલાલ હરિલાલ વસાવડા, કેળવણીખાતાના વડા તરીકે પ્રથમ શ્રી છગનલાલ હરિલાલ પંડયા તથા તે પછી શ્રી પુરુષોતમરાય ભગવતીદાસ નાણાવટી અને શ્રી મતિશંકર સદાશંકર દેશાઈ, દીવાન ઓફિસ મેનેજર તરીકે શ્રી દોલતરાય ઝાલા વગેરે સ્થાનિક અધિકારીઓની નિમણૂક પણ કરી. આ નીતિ અલ્પજીવી હતી.