________________
૩૦૬ : જૂનાગઢ અને ગિરનાર
અમલદારો આવ્યા. .
જૂનાગઢ રાજ્યમાં, ખેડૂત પાસેથી રાજભાગ, ભાગબટાઈના ઘરણે લેવાતે તે ધરણું બંધ કરી વાટીનું ધોરણ દાખલ કરવામાં આવ્યું. રાજ્યનું ભરણું ટંકશાળમાં થતું તેને બદલે તાલુકાઓમાં અને પાટનગરમાં સબ ટ્રેઝરીઓ અને મુખ્ય ટ્રેઝરી કરવામાં આવી. નાણાં ખાતું અને હિસાબી ખાતાં એક હતાં તેને જુદા પાડવામાં આવ્યાં.
જૂનાગઢ રાજ્યને કરી અને દેકડા પિતાની ટંકશાળમાં પાડવાને અધિકાર અંગ્રેજ સરકારે માન્ય કરેલે, તેમાં સમ્રાટના નામની પણ બીજા રાજ્યના સિક્કાઓ ઉપર છાપ પડતી તેમ પાડવા જરૂર હતી નહિ. એડમિનીસ્ટ્રેશન મોટિફીકેશન, નં. ૧૧/૧૯૧૨ તા. ૧૫-૧૧-૧૯૧૨ થી તા. ૧૪-૨-૧૯૧૩ના દિવસથી ચલણમાંથી કોરી ખેંચી લીધી અને સો રૂપિયાની ૪૦૫ કોરી ગણી તે પ્રમાણે ચુકાદ કર્યો. દેકડા તે પછી ઈ. સ. ૧૯૭૧ સુધી ચાલતા રહ્યા. '
રાજ્યના કરોને પેન્શન આપવાનું એક સરખું ધોરણ હતું નહિ તેને બદલે ૧/૩ પગારનું પૂરી કરીએ પેનશન આપવાનું ધારણ કરવામાં આવ્યું. નિવૃત્તિની વય મર્યાદા ૫૫ વર્ષની કરવામાં આવી.
મુખ્ય એન્જિનિયર મિ. ઈ. બુકફેકસે, જુનાગઢમાં આજે છે તે બને હેસ્પિટલે, બહાદરખાનજી હાઈસ્કૂલ (વર્તમાન વિવેકાનંદ વિનય મંદિર), ત્રિકોણ બાગ અને તેની વચ્ચેનું બેન્ડ સ્ટેન્ડ, મહિલાબાગની ટાંકી, જીમખાના કલબ વગેરે સુંદર અને આકર્ષક મકાને તેની દેખરેખ નીચે બંધાવ્યાં.
બંદરખાતાના એન્જિનિયર મિ. પ્રેકટર સીમ્સ, વેરાવળ બંદરમાં બ્રેક વેટરની દીવાલ તથા ડ્રાયડોકનું કામ હાથ ઉપર લીધું. જો કે તે સંપૂર્ણ થયું નહિ છતાં તેનાથી પ્રવાસીઓને તથા માલની હેરફેર કરનારાઓને ઘણી સુવિધા થઈ. બંદર અધિકારી તરીકે શ્રી કૃષ્ણલાલ ધ્રુવ હતા. આ જોકપ્રિય અને કાર્યદક્ષ અમલદાર તે જગ્યા ઉપર ઈ. સ. ૧૯૭૫ સુધી રહ્યા.
કેળવણીને એડમિનીસ્ટેશનમાં ઘણું ઉત્તેજન મળ્યું. ઘણી નવી સ્કૂલો અને મિડલ સ્કૂલો ખોલવામાં આવી. વિદ્યાધિકારી પદે શ્રી છગનલાલ હરિલાલ પડયાની નિમણૂક થઈ. આ સાક્ષર અને સહૃદયી અધિકારીએ, મહૂમ નવાબના રહસ્ય સચિવ તરીકે તથા દીવાન ઓફિસના મેનેજર તરીકે કાર્ય કરેલું, તેથી . તેની વહીવટી કાર્યક્ષમતા અને વિદ્વતાથી તે લોકપ્રિય અધિકારી ગણાયા.
ઈ. સ. ૧૯૧રમાં જૂનાગઢથી બીલખાની રેલવે લાઈન લંબાવવામાં
[1 તેઓ અમદાવાદના નાગર ગૃહસ્થ હતા.