________________
૨૦૪ : જૂનાગઢ અને ગિરનાર
સ્થાપ્યું. અને તે કાંઈ પણ પ્રગતિ કરે તે પૂર્વે રાજ્યે એડ. આ. ન. ૪૪૫/૧૨ ના હુકમથી આવી ચળવળમાં લાને ઉશ્કેરાવા કારણ ન મળે તે માટે સૂચના આપી તથા પોલીસને તે ચળવળ ઉપર ચાંપતી નજર રાખવા આજ્ઞા આપી. આ ‘ચળવળ’ની અન્ય વિગતા મળતી નથી પણ એમ જણાય છે કે તે આ હુકમ પછી બંધ પડી હશે.
ઇ. સ. ૧૯૧૩માં જૂનાગઢના શ્રી ધનશંકર પ્રભાશંકર શર્માએ ગિરનાર પત્રિકા' નામનું માસિક શરૂ કર્યું અને તે પણ થોડા જ સમયમાં બંધ થઈ ગયુ..
મિ. એચ. ડી. રેન્ડાલ
ઈ. સ, ૧૯૧૩ના ફેબ્રુઆરી માસમાં, મિ. રૅન્ડલ રજા ઉપરથી પાછા ફરતાં મિ રાખટસન તેની મૂળ જગ્યાએ પાછા ફર્યાં. મિ રૅન્ડેલ, રજા ઉપર ગયા. ત્યારે તેના વિરૂદ્ધ જે ઉહાપાડ થયા .હતા તે શાંત પડી ગયેલા અને તેણે પણ તે પછી અમલદારો કે અમીરને વિશેષ કનડગત કરવાનું પણ બંધ કરેલુ.
વજીર બહાઉદ્દીનભાઈ -
ઈ. સ. ૧૯૧૪માં જૂનાગઢના માજી વજીર બહાઉદ્દીનભાઈ ગુજરી ગયા. તેમના જન્મ ઇ. સ. ૧૮૩૫માં થયા હતા તેમનાં બહેનનાં લગ્ન નવાબ મહાબતખાન ખીા સાથે કરવામાં આવ્યા, પછી તે લાલરિસાલાના જમાદાર હતા ત્યાંથી બઢતી આપી તેમને ઈ. સ. ૧૮૬૨માં વજીર પદ આપવામાં આવેલું'.'
તેમણે લગભગ પાંચ દાયકા સુધી રાજકર્તાના અંગત સલાહકાર અને વજીરનું પદ ભાગવી ત્રણ નવાબેાની સેવા કરી, નામના અને કીતિ સંપાદન કર્યાં તે લગભગ નિરક્ષર છતાં વિદ્યાપ્રેમી હતા. અશિક્ષિત છતાં શિક્ષણના હિમાયતી હતા અને સામાન્ય કુટુંબમાં જન્મેલા છતાં સ`સ્કારી હતા. આ ભાગ્યશાળી પુરુષ, રાજકર્તા અને પદાધિકારીએ વચ્ચે, રાજ અને રૈયત વચ્ચે તટસ્થ રહી, રાજ્યના અટપટા પ્રશ્નો, તેની ધીર ગંભીર અને શાંત પ્રકૃતિના કારણે સરળતાથી ઉકેલી ઉભયની પ્રીતિ સંપાદન કરેલી. વજીર બહાઉદ્દીનભાઈ, સાહિત્ય, કાવ્ય અને કલાના પ્રેમી હતા. જગતની ખજાશમાં ન મળતા હોય એવા દુર્લભ અને અપ્રાપ્ય કલાના નમૂનાઓ તે માં માગી કિંમતે ખરીદ
1 વજીર એટલે રાજકર્તાના અંગત મ`ત્રી, રિયાસતના મ`ત્રી તે દીવાન,