________________
ખાખી વશના-અંત : ૩૦૩
નિમણૂક આપી. તેમણે દશ માસ પર્યંત હિસાબે તપાસ્યા છતાં તેમાં કાંઈ વાંધા ભરેલું નીકળ્યું નહિ.
વજીર બહાઉદ્દીનભાઈના ખાનગી કારભારી અને સરકારી શ્રોફ શેઠ નથુભાઈ ક્રિપારામ ઉપર એડમિનીસ્ટ્રેટરે સખત દબાણ કરી તેની પાસેથી કેટલાંક નિવેદનો મેળવવા પ્રયત્ન કર્યાં. પર ંતુ આ નિમકહલાલ અને વાદાર કારભારીએ તેમ કરવા ના પાડી તેથી મિલકતા ઉપર પણુ જપ્તી કરવામાં આવી. શેડ નથુભાઈના પિતાશ્રી પણુ વજીરના કારભારી હતા અને વજીરની મિલકત ઉ૫જ, ખય વગેરેની તેને રજે રજની માહિતી હતી, તેથી તે જો એવું નિવેદન આપે કે વજીરે રાજ્યની મિલકત ઓળવી છે તા તે નિવેદન વજીરને પાયમાલ કરવાના કાર્યમાં ઘણું જ મહત્ત્વના દસ્તાવેજ થઈ શકે જ્યારે શેઠ નથુભાઈને અસહ્ય ભીંસ કરવામાં આવી ત્યારે તેણે મુંબઈના સેાલિસીટર ગુલાબચ'ને રોકી લડત આપી અને અંતે રૂપિયા ૩૭૦૦૦ના દંડ આપી મુકિત મેળવી,3
શ્રી પુરુષોત્તમરાય સુંદરજી ઝાલાના આપ્તજન શ્રી રવિશંકર જીવણરામ ઘેાડા ઉપર પણ સખ્તાઈ કરવામાં આવી અને તેને જૂનાગઢ શહેર ભહાર રહેવાની ફરજ પાડવામાં આવી.4
બ્રિટિશ ન્યાયને કલ"કિત કરતાં આ ત્રાસવાદી પગલાંએના પરિણામે જૂતાગઢમાં અને બહાર મોટા ઉહાપેાહ થયા. શ્રી રૅડાલની આ કાર્ય પદ્ધતિ માટે દેશના ખૂણે ખૂણામાંથી ટીકાઓની ઝડી વરસી રહી અને તેથી તે લાંબી રજા ઉપર ઉતરી સ્વદેશ ચાલ્યા ગયા. મુંબઈ સરકારે તેની જગ્યાએ જનરલ એડમિનીસ્ટ્રેશન ખાતાના સચિવ સિ. એલ. રેખ`સનની નિમણૂક કરી. સ્વદેશી ચળવળ
મિ. રેડાલની જોહુકમીને કારણે કે અંગ્રેજો પ્રત્યેના અણુગમાને કારણે કેટલાક દેશભકતાએ તેના સામે આંદાલન કરવા ઈ. સ. ૧૯૧૨માં એક મડળ
1 માહિતી. શ્રી. ખાજુરાય વૈકુંઠરાય બક્ષી,
2 શ્રી પરમસુખરાય કચ્છીના પિતાશ્રી. તેમને નવાબે દુધાળા ગામ ઈનામમાં આપેલું,
૩ મંત્રીશ્વર શ્રી રાયજી સાહેબ”—શ્રી. જ. પુ. જોશીપુરા.
4 આવા ધણા રાજ્ય સેવકાને તથા પ્રતિષ્ઠિત નાગરિકાને ત્રાસ આપવામાં આવેલે હરશે, પણ તેની આધારભૂત નોંધ ઉપલબ્ધ નથી-મંત્રીશ્વર શ્રી. રાયજી સાહેબ શ્રી, જ. પુ. જોશીપુરા