________________
૩૦૨ ઃ જૂનાગઢ અને ગિરનાર
બહાઉદીનભાઈએ મુંબઈના પ્રખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોઝશાહ મહેતાને તથા રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી માધવરાય જેઠાભાઈ બક્ષીને રેકી મિ. રેન્ડેલની રજૂઆત માગી પણ આ બ્રિટિશ અધિકારીએ તેને સાંભળવાની પણ ના પાડી. ઘણી દલીલ અને વિનંતીઓ પછી વજીર તેના અંગત માણસે દ્વારા તેની મિલકતની નોંધ કરાવી એડમિનીસ્ટ્રેશનને સેપે તથા તેની મિલકત પોતાના પૈસામાંથી બંધાવી છે એમ સાબિત કરી આપે એવી આજ્ઞા થઈ. વજીર બહાઉદ્દીનભાઈએ આવી નોંધ રજૂ કરી તથા તેની હવેલી બાંધવા માટે નવાબે આપેલી લોન તેણે આના પાઈ ભરપાઈ કરી દીધી છે તેમ નવાબના હસ્તાક્ષર વાળી પહેચે બતાવી સાબિત કરી આપતાં જપ્તી ઉઠાડી લેવામાં આવી.
નવાબના રહસ્ય સચિવ શ્રી છોટાલાલ મથુરાદાસ બક્ષી ઉપર પણ અનુમાનિક આક્ષેપ મૂકી તેની પાસેથી મર્દમ નવાબની દસ્તખર્ચા (પ્રીવી પર્સ) ની રકમને હિસાબ માગવામાં આવ્યું. વર્ષો સુધી નવાબના અંગત સચિવ તરીકે સ્વચ્છ અને પ્રમાણિક કાર્યભાર કરીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર વ્યક્તિને માત્ર રૂપિયા એંસી હજારના હિસાબ માટે જવાબદાર ગણવામાં આવ્યા. તેનાથી પ્રજામાં પણ રોષની લાગણી પ્રસરી શ્રી છોટાલાલ બક્ષીને જૂનાગઢના પોતાના મકાનમાં રહેવા તથા જૂનાગઢ ન છોડવા હુકમ કરવામાં આવ્યું. પિતે સ્વચ્છ હતા અને હિસાબ નિયમિત છે તેને તેને વિશ્વાસ હતો તેથી તે ખાતાકીય તપાસ સ્વીકારી અને હિસાબ સાબિત કરી આપ્યો. તેમ છતાં બંધ બારણે આ તપાસ એક તરફી રીતે કરી તેમને રૂપિયા એસી હજાર દંડ કર્યો. પાછળથી નવાબ મહાબતખાનના સમયમાં આ કેસ ફરી તપાસમાં લેતાં શ્રી બક્ષીને આ જવાબદારીમાંથી નિર્દોષ ગણ મુક્ત ગણવામાં આવ્યા પણ ભરેલે દંડ પાછા આપવામાં આવ્યું નહિ.
નવાબના ખાનગી કારભારી શ્રી અમરજી આણંદજી કચ્છી ઉપર પણ માનસિક ત્રાસ આપવામાં આવ્યું, પરંતુ આ પ્રમાણિક અને પ્રભુપરાયણ અમલદારની વિરૂદ્ધ કંઈ થઈ શકયું નહિ.
આ ઉપરાંત નવાબના હજુરીઓ, મહમદ પતંગિયા, જાખરીભાઈ વગેરે ઉપર પણ તવાઈ ઊતરી અને દમનનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં. મર્દમ નવાબના સસરા શ્રી મહમદખાન ફરીદખાન પ્રત્યે પણ ત્રાસદાયક વતન કરવામાં આવ્યું, પરંતુ તેઓએ બધું સહન કરી આર્થિક નુકસાન વડી લીધું.
મિ. રેન્ડોલે મુંબઈના સેલિસીટર શ્રી ભાઈશંકર નાનાભાઈ ભટ્ટને જૂનાગઢ રાજ્યને છેલા ચાલીસ વર્ષને હિસાબ તપાસી જવા માટે ખાસ