________________
બાબી વંશને અંત
એડમિનીસ્ટ્રેશન
નવાબ રસુલખાનના મૃત્યુ વખતે મહાબતખાન સગીર હતા, તેથી બ્રિટિશ સાર્વભૌમ સત્તાએ જુનાગઢને વહીવટ પિતાના હાથમાં લીધે. રાજકોટથી મેજર સ્ટ્રોંગ, ઈમ્પીરીયલ લાસના કેપ્ટન કે નામના મિલિટરી અધિકારીને લઈને જૂનાગઢ આવ્યા અને રાજ્યના તાપખાના, રાજમહેલના ખજાના, અન્ય કિંમતી વસ્તુઓ, રાજ્યનાં રેકર્ડો વગેરે ઉપર જપ્તી મૂકી તેને સીલ કરી દીધાં.
તે પછી રાજકોટના જ્યુડીશિયલ આસિસ્ટ૮ મિ. એચ. ડી. રેન્ડલ આઈ સી. એસ.ની જૂનાગઢ રાજ્યના એડમિનીસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ અને બ્રિટિશ સેવાના શ્રી અનંત સદાશિવ તાબે તેના આસિસ્ટન્ટ તરીકે નીમાયા.
આ અધિકારીઓએ મમ નવાબના માણસોને એક પછી એક હિસાબ લેવા માંડયો. અમીરે, વરિષ્ટ અમલદારે તથા હઝુરમાં રહેતા રાજપુની મિલકતની નોંધણી અને તપાસણી શરૂ કરવામાં આવી વજીર બહાઉદ્દીનભાઈ તેની વૃદ્ધાવસ્થા ગુજારી રહ્યા હતા ત્યાં તેને ઓચિંતા દબાવી દેવામાં આવ્યા અને હવેલી ઉપર સીલ કરી મિલકત ઉપર જતી મૂકી તથા તેના ઉપર મિલિટરીના પહેરા ચડાવી દેવામાં આવ્યા. તેના ખાનગી કારભારી શેડ નથુભાઈ ક્રિપારામની પ્રવૃત્તિઓ ઉપર પણ કડક અંકુશ મૂકવામાં આવ્યો. વજીર