________________
૩૦૦ : જૂનાગઢ અને ગિરનાર
જીવન ઉપર નિય ંત્રણ આવતાં અને રાજતંત્ર પણ આધુનિક પદ્ધતિએ લઈ જવાડી વાર વાર તે તરફથી થતી આજ્ઞાઓના અમલ થતાં રાજકર્તા અને રાજ્યતંત્રમાં જે જૂનવાણી પદ્ધતિ અને સિદ્ધાંતા હતા તેમાં ધરખમ પરિવત ન આવતાં રાજદરબારની ખૂની ખટપટા અને કાવાદાવાના અંશતઃ અંત આવ્યો અને તેનું સ્થાન જુદા પ્રકારની ખટપટે લીધું. સમાજમાં પણ શિક્ષણ, સ`સ્કાર, વ્યવસ્થા અને કાયદાની કાર્ટા અને નિયમા પ્રમાણે ચાલતા ખાતાંઓની કામ ગીરીના પરિણામે જાગૃતિ આવી. પ્રજાની જે શકિત અવળે માગે" જતી હતી તે રચનાત્મક માર્ગે વળી. રાજ્યને પણ ગત યુગમાં યુદ્ધોના પ માંથી વિકામ માટે ખચ કરવા ધન બચતું નહિ અને સમય રહેતા નહિ તેના બદલે રાજ્યની આવક વધારવા ખેતી, ઉદ્યોગ તથા વ્યાપારના વિકાસ પ્રત્યે ધ્યાન આપવાના સમય મળ્યા. અને ઈ. સ. ૧૯૧૧ માં મધ્યકાલિન જૂનાગઢ, ભારતનાં ખીજા રાજ્યોની હરાળમાં ઊભુ` રહી શકવા સમર્થ થયું.
નવાબ રસુલખાનના મૃત્યુ સાથે મધ્યકાલિન યુગના રહ્યા સવા અવશેષો અદૃષ્ય થયા અને નવા યુગના આરંભ થયા. જૂનાગઢના રાજ્યમાં એજન્સીએ પ્રસ ંગેાપાત હસ્તક્ષેપ કરેલો પણ તંત્ર હસ્તગત કરવાના ઈ. સ. ૧૯૧૧માં પ્રથમ પ્રસંગ ઉર્જાસ્થત થયા અને તે સાથે બ્રિટિશ એડમિનીસ્ટ્રેટ, રાજ્ય તંત્રને બ્રિટિશ પદ્ધતિ ઉપર મૂકયુ. તેણે બ્રિટિશ હિન્દમાંથી અમલદારોને બોલાવી નિયુક્ત કર્યાં અને ત્યાંના કેટલાક કાયદા, નિયમા અને કાર્ય પદ્ધતિ જૂનાગઢ રાજ્યમાં દાખલ કરી તંત્રનું માળખું ફેરવી નાખ્યું. એ સમયે જૂના અધિકારીઓ, કમ ચારીઓ, આગેવાના અને પ્રજાજનોને આ પરિવત ન અણગમતુ અને અકારૂ" લાગેલું, પર ંતુ એ સ્વીકારવું રહ્યું કે પાછળના વર્ષામાં જૂનાગઢના રાજ્યત ંત્રે એક કાર્યક્ષમ તંત્ર તરીકે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી તે આ ફેરફારને આભારી હતી