________________
૨૯૮ : જૂનાગઢ અને ગિરનાર
તેમણે જૂનાગઢ શહેરમાં દારૂબંધી અને વેશ્યાવૃત્તિની સખત અને સંપૂર્ણ બંધી કરેલી. તેમની કચેરીમાં ઉરસવ પ્રસંગે શૃંગારિક ગાયને ગવાતાં નહિ કે નાચ મુજરા થતા નહિ. - તેઓ અંગ્રેજી ભણેલા ન હતા છતાં તેમનામાં ઊંડી સૂઝ અને જ્ઞાન હતું. તેમનું મન વિશાળ અને હૃદય ઉદાર હતું. તેઓ તેમની નીતિ, રીતિ, દાન, દયા, ન્યાય અને પરોપકારથી “ઓલિયા નવાબ”નું બીરૂદ પામ્યા.' - સાર્વભૌમ સરકારે તેમને ઈ. સ. ૧૮૯૯માં કેસી. એસ. આઈ. અને ઈ. સ. ૧૯૦૮માં છે. સી. એસ. આઈ. ના ચંદ્રક આપ્યા.
યુવરાજ શેરઝમાનખાન તેની હયાતીમાં ઈ. સ. ૧૯૮માં ગુજરી ગયા તે કારી ઘા તેના હૃદયને કેરી ખાતા હતા અને તેના જીવનમાંથી આનંદ વિદાય લીધી હતી. * ઈ. સ. ૧૯૧૧માં ભાવનગર મહારાજા ભાવસિંહજી ગિરમાં શિકારે આવેલા અને તા. ૨૨-૧-૧૯૧૧ના રોજ તાલાળા કેમ્પ કરી શિકાર ગોઠવાયો હતે. તે જ દિવસે નવાબ રસુલખાન જન્નતનસીન થયા.
પ્રજા જીવન (ઇ. સ. ૧૮૮૨-૧૯૧૦) - મધ્યકાલિન યુગમાં લેકેની જે રહેણી કરણી હતી તેમાં આ સમયમાં ઘણે ફેરફાર થયો. લેકે માત્ર દેવદર્શન કરવા શહેર બહાર જતા પણ ફરવા જવાને ચાલ ન હતા. શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ઈ. સ. ૧૮૮૬માં નેધે છે કે જયારે અમો બહારથી આવેલા ગૃહસ્થ સાંજે ફરવા જતા ત્યારે જૂની રૂઢિના લેકને આશ્ચર્ય થતું, પણ ક્રમે ક્રમે તેઓ પણ તેમને અનુસરતા થયા. તે સમય પૂર્વે જાહેર સભાઓ પણ થતી નહિ. દરબાર કે કચેરીમાં અથવા ધાર્મિક સંમેલનમાં લેકે ભાગ લેતા પણ સભા થાય તેમાં સભાપતિ હયા અને ભાષણ થાય તે પાશ્ચાત્ય પદ્ધતિની સભાઓની આ સમયમાં શરૂઆત થઈ. તેમાં પણ પ્રારંભનાં વર્ષોમાં ભાષણને બદલે કઈ શિષ્ટ પુસ્તકમાંથી કે ધર્મ પુસ્તકમાંથી વાચન કરવામાં આવતું તેમાં કેટલીક સભાઓના અહેવાલ ઉપરથી જણાય છે. જાહેર મકાને કે સ્થળનાં ખાતમુર્હત અને ઉદ્દઘાટન આ સમય પહેલાં ધાર્મિક વિધિ પૂરતાં પરિમિત હતાં તેને બદલે જાહેર સમારંભમાં કઈ વિશેષ વ્યક્તિના હાથે તે કરવાની પ્રથા જૂનાગઢમાં શરૂ થઈ. "
1 નવાબ રસુલખાનની ઉદારતા અને વિશાળ મનના પ્રસંગે માટે વાંચો “એલિ
નવાબ” પ્રકાશ અને પરિચય. શં. હ. દેશાઈ.