________________
બાબી વંશ-ઉત્તરાર્ધ : ર૯૭ આ વાત હઝુરીને જાહેર કરી કે તુરત જ પોતે પિતાને ખર્ચે ત્યાં તેવી ગૌશાળા બંધાવી દેવા મંજૂરી આપી.” 1
બાવા સાધુઓ તેની પાસે આવતા અને જે માગતા તે યોગ્યતાનાં પ્રમાણુમાં મેળવી જતા. હિન્દુ અમલદારની માન્યતાને માન આપી તેમનેં અદબ જાળવતા. અધિકારીઓને તેઓ વારંવાર કહેતા કે રાજાને કેઈ ધર્મને પક્ષપાત ન હાય રેયતને તેને ધર્મ વગર રોકટેકે પાળવા દેવો જોઈએ. રાજાને અને અમલદારોને ધર્મ તે એ છે કે, અન્યાય અને જુલમને કારણે રયત તને શાપ ન આપે તે ધ્યાનમાં રાખી ચાલવું.
તેઓ પ્રતિદિન દુખી ગરીબોને દાન આપતા. તેના દરબારમાંથી કઈ પણ નિરાશ થઈને જ નહિ. તેની સખાવત, દયા, અનુકંપા, ઈન્સાફ અને સાગર દિલના અનેક પ્રસંગો આજ પણ જૂનાગઢમાં લેકહાએ અમર બન્યા છે. જેલવાસી કેદીઓને મુક્ત કરવાની, ગુનેગારોને માફી આપી સુધારવાની, નિરાધાર, નિરાશ્રિત અને નિસહાય મ ણુને ધન, ધરા કે આજીવિકા આપી બચાવી લીધાને ઘણા પ્રસંગે આજપણ જીવિત છે. અલાહને તે સદા યાદ કરતા રહેતા અને પાપથી ડરતા રહેતા. તે કહેતા કે રાજયને કે રાજકર્તાને ભલે મોટું નુકસાન થઈ જાય પણ પ્રજાને નુકસાન કે અન્યાય ન થવાં જોઈએ. પ્રાચી મહંત મહાદેવગિરિનાં ગામો સેટલમેન્ટમાં ખાલસા થયેલાં અને મહંતે તે માટે અન્ન છેડી દીધેલું, તે વાત પ્રાચી મુકામે તેના દયાન ઉપર મૂકતાં પતિ પ્રતિજ્ઞા કરી કે મહંત પારણું કરે પછી જ પોતે જમશે. ત્યાં જ મહંતને ગામો સોંપી આપવા હુકમ કર્યો અને તપાસ કરાવી કે મને કદુઆ મળે તેવા આવાં જેટલાં કામો છે તેની વિગતે રજુ કરો.
સરકારી નેકની બહાલી બરતરફથી તેમણે પિતાના હાથમાં રાખેલી. હિઝુર ફરમાન નં. ૭/૬૦ તા ૨૧-૧૨-૧૯૦૩થી તેણે આજ્ઞા કરેલી કે કોઈ પણું નેકરને નિમતી વખતે અને છૂટો ફરતી વખતે તેની પાસે રજૂ કરવો. તે પ્રસંગે કાઈને એક માસને પગારે એડવાન્સ આપતા તે બરતરફ કે નિવૃત્ત થયેલાને બીજી કરી કે મદદ આપતા.
જૂનાગઢમાં પ્રતિદિન બહારથી આવતા કે શહેરમાં રહેતા ગરીબ માણસોને લંગરખાનામાં કોઈ ભેદભાવ વગર જમવાનું મળતું.
1 મારાં જૂનાગઢનાં સંસ્મરણે “ગુજરાતી, સાપ્તાહિક-તારીખ ૨૦-૩-૧૯૩૨ લેખક
શ્રી. છગનલાલ હરિલાલ પંડયા. જ. ગિ.-૩૮ :