________________
ર૮૪ઃ જૂનાગઢ અને ગિરનાર ઈ. સ. ૧૯૦૦માં તે સંપૂર્ણ અંકુશ નીચે આવી ગયો.. - ઈ. સ. ૧૮૯૯માં વરસાદ આવ્યો જ નહિ અને ઈ. સ. ૧૯૦૦ના પ્રારંભમાં દુષ્કાળના ઓળા સોરઠ ઉપર ઉતર્યા. છપ્પાનેયા નામથી જાણીતા થયેલા આ ભયંકર દુષ્કાળમાં, અન્ય પ્રાન્તના લકે સોરઠમાં ઉતરી પડ્યા. પરંતુ અહીંની સ્થિતિ પણ વિષમ હતી તેથી રાજય સરકારના ભગીરથ પુરુષાર્થ અને પરિશ્રમ છતાં અસંખ્ય પશુઓ અને મનુષ્યો મૃત્યુના મુખમાં કોળીયો થઈ ગયાં.
આ દુષ્કાળ પ્રસંગે રાહત કાર્યો અને સહાય પાછળ રાયે રૂપિયા ૧૯૭૧૦૯ને ખર્ચ કર્યો. પ્રજાએ રૂપિયા ૭૮,૨૪૭ જેટલી રકમનું ફંડ કરી રાજયને આપ્યું. તે ઉપરાંત વ્યકિતગત, ગામાયત અને સંસ્થાગત જે ખર્ચ થયો તેની માત્ર કલ્પનાજ કરવાની રહે છે. પ્રકીર્ણ :
નવાબ રસુલખાનના સમયમાં પ્રજાકીય જાગૃતિ ન હતી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી રહેતી સભાઓ થતી પણ તે કઈ ગવર્નર કે વાઈરેયના હાથે ઉદ્દઘાટન કે, શિલારોપણ વિધિ હેય, કે રાજકર્તાને ચંદ્રક મળે કે વજીર કે દીવાનની વિદાય વખતે કે કઈ રાજપુરુષના મૃત્યુ વખતે જ આ સભાઓમાં રાજ્યના અમલદારો ભાષણ કરતા અને પસંદગી પામેલા પ્રજાના આગેવાનો બેલી શકતા. તેમ છતાં પ્રજને કેળવાયેલે વર્ગ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગર રોકટોક કરી શકત. આ સમયે, કોલેજના વિદ્યાર્થીઓએ, યુનિયન કલમ નામની એક કલબ સ્થાપી હતી. તેમાં ભિન્ન ભિન્ન વિષય ઉપર ચર્ચા વિચારણા થતી. રમતગમત અને મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવતા. ઈ. સ. ૧૯૦૫માં કેલેજના વિવાથીઓએ, ભક્ત નરસિંહ મહેતાના નાટય પ્રયોગમાં રજૂ થતા સંવાદ સામે વાંધો લઈ મેટું તેફાન કરી સરઘસ કાઢેલું તથા ઈ. સ. ૧૯૦૮માં લોકમાન્ય તિલક મહારાજને બ્રિટિશ સરકારે છ વર્ષની સજા કરી દેશ નિકાલ કર્યા તે પ્રસંગે પણ કેલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસની હડતાલ પાડેલી. ધાર્મિક પ્રવૃત્તિ ઉભય કેમની વગર અંતરાયે ફાલીફૂલી રહેતી. કથાઓ, પ્રવચન અને -ઉત્સવ પૂર્ણ સ્વાતંત્ર્યથી અને ઉલ્લાસથી થતા. મિસીસ એની બીસાંટ જુનાગઢ આવેલાં ત્યારે તેની પાસેથી પ્રેરણા મેળવી થીઓસેફિકલ સોસાયટીની પણ સ્થાપના થઈ. અમુક ગૃહસ્થાએ દ્રથ સકીંગ સોસાયટી-સત્ય શોધક મંડલની સ્થાપના કરી તેના ઉપક્રમે વાર્તાલાપ અને વ્યાખ્યાને જયાં. શ્રી. લાભશંકર લક્ષમીદાસ વણજે, “જીવદયા બેધક મંડલી' શરૂ કરી જેની પ્રવૃત્તિ સમસ્ત