________________
ર૯૨ : જૂનાગઢ અને ગિરનાર
પરિણામે શાહઝાદા, પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે સંપૂર્ણ રંગાઈ ગયા અને કેટલાંક દુર્બસના ભોગ બન્યા. - કેપ્ટન કાર્નેગીએ જૂનાગઢમાં આવી, શાહઝાદાને શિક્ષણ આપવાની કામગીરી કરતાં જૂનાગઢની ખટપટમાં સવિશેષ રસ લેવા માંડે અને પરિણામે શાહઝાદા અને રાજ્યના ભે જેવા દીવાન પુરુષોત્તમરાય અને વજીર બહાઉદીનભાઈ વચ્ચે મોટું અંતર પાડી દીધું.
કહેવાય છે તે પ્રમાણે કેપ્ટન કાર્નેગીને બંગલે અમુક માણસ મળવા માંડયા અને નવાબ રસુલખાનને પદભ્રષ્ટ કરી શાહઝાદાને ગાદીએ બેસાડવા માટે જુદા જુદા ઉપાયે વિચારતા રહ્યા. દરમ્યાન મુંબઈના ગવર્નર લઈ લેમીંગ્ટન ગિરમાં સિંહના શિકારે આવતાં તે તકને લાભ લઈ તેના કાનમાં નવાબ વિરૂદ્ધ ઝેર રેડવા અને તેને ગાદી ત્યાગ કરવાની ગવર્નર સલાહ આપે તે કેસ કરવા કેપ્ટન કાર્નેગીએ તૈયારી કરી, પરંતુ ગિરમાં શિકાર ડયુટી ઉપર રહેલા અધિકારીઓને આ વાતની જાણ થઈ જતાં તે કાંઈ કરી શક્યા નહિ અને જયારે આ વાત શાહઝાદાને જાણવામાં આવી ત્યારે તેણે તેના શુભેચ્છકેને ઠપકે આયે. કેપ્ટન કાર્નેગી
તા. ૯-૩-૧૯૦૫ના રોજ લોર્ડ લેમીંગ્ટન બીજી વખત શિકારે આવ્યા ત્યારે શિકારમાં ઘાયલ થયેલા વિકરાળ સિંહની પાછળ કેપ્ટન કાર્નેગીના કહેવાથી ગવર્નર, તેના સચિવ ચાઈ. કયુબેલ વગેરે જવા તૈયાર થયા ત્યારે કેમ્પ ઓફિસર શ્રી હર પ્રસાદ દેશાઈએ તેમને શિકારના નિયમથી વિરૂદ્ધ ઘાયલ સિંહની પાછળ ન જવા સમજાવ્યા પણ કેપ્ટન કાર્નેગી એકના બે ના થયા. ગવર્નર મંડલ ત્રણ વિભાગમાં વહેચાઈ ગયું અને ઊંચા ઊગેલા ઘાસમાં કેડી ઉપર. આગળ વધવા માંડયું. શ્રી હરપ્રસાદ તથા ખેડા નામનો શિકારી અને કેપ્ટન કાર્નેગી ત્રીજા વિભાગમાં હતા, તે કેપ્ટન કાર્નેગીને સમજાવતા હતા કે ગવર્નર જેવી સવિશેષ અગત્યની વ્યકિતને જાન જોખમમાં મૂક્યાનું હિતાવહ નથી. તેઓ એક ઝાડ પાસે આવ્યા ત્યાં ઊંચા ઘાસમાં ઉમા રહી કાર્નેગીએ ખેડાને ઝાડ ઉપર ચડી જોવા કહ્યું. ખોડો ઝાડ ઉપર ચડે ત્યાં તેના થડ પાછળ જ બેઠેલા સિંહે એકાએક બહાર આવી તરાપ મારી કેપ્ટન કાનેગીનું માથું તેના જડબામાં પકડી લીધું. હરપ્રસાદે ગોળી મારી સિંહને ઠાર કર્યો. કેપ્ટન કાર્નેગીના મૃતદેહને ચિત્રાવડના સુતાર ભગવાને તૈયાર કરેલા