________________
ખાખી વંશ-ઉત્તરાધ ઃ ૨૯૧
દીવાન સર અબ્બાસઅલી બેગ
ઈ. સ. ૧૯૦૬ના ડીસેમ્બરમાં રા. બ. બહેચરદાસે પણ રાજીનામું આપ્યું અને તને સ્થાને સિકંદરાબાદના સર અબ્બાસઅલી બેગની નિમણૂક કરવામાં આવી. શાળા નિરીક્ષકના પદથી નોકરીના પ્રારંભ કરી જ જીરાના દીવાનનું અને મુંબઇ સરકારના એરીએન્ટલ ટ્રાન્સલેટરનું પદ પ્રાપ્ત કરેલા સર અબ્બાસ જૂનાગઢના દીવાન પદે આવતાં પ્રજામાં નવી આશાએ અને આકાંક્ષા જન્મી, પરંતુ તે પણ સ્થાનિક ખટપટમાં એતપ્રેત થઈ ગયા.
સર અબ્બાસઅલી મેગની નિમણૂક ઇ. સ. ૧૯૧૦માં ઈન્ડિયા કાઉન્સીલમાં થતાં તેઓ ઈંગ્લાંડ ગયા અને તેની અવજી કાય વાહક દીવાન તરી કે અમદા વાદના શ્રી કુરેશી જે અહિં નાયબ દીવાન હતા તે નીમાયા.
સર્ અબ્બાસની ઈચ્છા તેને દીવાનપદે કાયમ કરવાની હતી, જ્યારે નવાબની ઈચ્છા તેના સસરા મહમદખાન ફરીદખાનને દીવાન પદ આપવાની હતી. નવાબને તેના પ્રયાસમાં સફળતા મળી નહિ, પરંતુ તે પત્રવ્યવહારના પરિણામે શ્રી કુરેશી કાયમ થઈ શકયા નહિ અને તે માટે કાંઈ વિશેષ પ્રવૃત્તિ થાય તે પહેલાં નવ:ખ રસુલખાન ગુજરી ગયું .
શેરઝમાનખાન
નવાબ રસુલખાનના વલીબેહદ શાહઝાદા-યુવરાજ-ના જન્મ ઈ. સ. ૧૮૮૧ના માર્ચ માસની થી તારીખે થયા હતા. પ્રાથમિક કેળવણી, ખાતાના શિક્ષકા પાસે જૂનાગઢમાં લીધા પછી. ઈ. સ. ૧૮૯૧થી ઈ. સ. ૧૮૯૯ સુધી તેણે રાજકાટની રાજકુમાર કાલેજમાં અભ્યાસ કર્યાં, ત્યાંથી આવી તેણે શ્રી પુરુષોત્તમરાય ભગવતીદાસ નાણાવટી પાસે સાહિત્ય અને ભાષાના તથા કલ સી. ડબલ્યુ. એચ. સીલી પાસે કાયદા અને વહીવટનું જ્ઞાન લીધું. ઈ. સ. ૧૯૦૩માં મિ. હેલ્થ, મિ. સીલીની અવજી તેના ટયુટર થયા. થાડા જ સમયમાં તે ધ્રુલેજના પ્રિન્સિપાલ તરીકે નીમાતાં તેની જગ્યાએ કેપ્ટન એચ. જી કાર્ને`ગીની અને નેટીવ ટ્યુટર્સ' તરીકે ખા બ. (પાછળથી સર) મહેષુખમીયાં ઈમામબક્ષ કાદરી, તથા અલીગઢના પ્રોફેસર ગુરગાનીની નિમણૂક થઇ.
શાહઝાદાએ આ શિક્ષક મડલ સાથે ભારતની એકથી વિશેષ મુસાફરીએ કરી. તેમની સાથે અગ્રેજ અધિકારીઓએ સવિશેષ સહવાસ કેળવ્યા અને
1. તે ઇ. સ. ૧૯૨૯--૧૯૩૧માં જૂનાગઢના વરિષ્ટ ન્યાયાધીશ હતા.