________________
૨૯૦ : જૂનાગઢ અને ગિરનાર
તાપીદાસના પિતા ભવાનીદાસ એક યુદ્ધવીર અને મુત્સદ્દી હતા. કહાનદાસના ખીજા પુત્ર દ્વારકાંદાસના વંશજો પણ આજ બક્ષી સંજ્ઞાથી એળખાય છે.
શ્રી છેાટાલાલ બક્ષીના પુત્ર વૈકુંઠરાય બક્ષી પણ શાહઝાદાના અંગત સચિવ હતા. આમ બક્ષી કુટુંબે એ સમયની રાજરમતમાં અગત્યનું સ્થાન ભોગવ્યું.
ખટપટ
રાજ્યમાં નાગરો અને ગુજરાતીઆના બે પક્ષા પડયા, પરંતુ રાજકર્તા અને યુવરાજ ગુજરાતી પક્ષની પીઠ પાછળ હોવાથી તેના વિરૂદ્ધ કંઇ પણ કાર્યવાહી કરવાનું શકય ન હતું. દરબાર ગેાપાલદાસે તથા શ્રી ગેાકુલજભાઈએ એજન્સીના અધિકારીએ સમક્ષ, રાજકર્તા અને તેના સલાહકારો સમક્ષ અને અન્ય પ્રજા સમક્ષ નાગરા નિમકહરામ છે અને અનીતિને માગે ધન ઉપાઈન કરે છે એમ પ્રત્યક્ષ રીતે દર્શાવવા, જૂનાગઢમાં આવેલી ‘મેટી વાંકાનેર નાટક કંપની' પાસે ભક્ત કવિ નરસિંહ મહેતાનું એક નાટક ભજવવાની યોજના કરી, આ નાટક બહાઉદ્દીન કાલેજના મધ્યખ ́ડમાં ભજવવાનું હતુ. અને તેમાં એજન્સીના અધિકારીએ ઉપસ્થિત થવાના હતા, તેથી એક અંગ્રેજી પુસ્તિકા .છપાવી તેમાં નાગરા ઉપર ટીકા કરવામાં આવેલી. નાટકમાં નરસિંહ મહેતાનું પાત્ર ભજવતા નટ ત્ર્યંબકલાલ ત્રવાડીના મુખમાં નાગા માટેના અધિટત શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારે ખ`ડમાં મેાટી ધાંધલ મચી ગઈ. પેૉલિટિકલ એજન્ટ તથા યુવરાજને ખડમાંથી ઊઠી જવું પડયુ અને પ્રયાગ બંધ કરવાની ફરજ પડી. આ પ્રશ્ન કાર્ડિયાવાડ ટાઈમ્સ તથા સૌરાષ્ટ્રની જનતાએ ઉપાડી લીધે!. પ્રામાં એટલી ઉગ્રતા વ્યાપી ગઈં ૐ શ્રી ગેાકુલભાઈને રાજ્ય સેવાના ત્યાગ કરવાનું અનિવાર્ય બન્યુ... અને બરબાર ગેાપાલદાસે માફામાફી કરી મામલે શાંત પડયેા.૩
1જીએ પ્રકરણ ૪થું પાનું ૧૦૫
2 શ્રી બાબુરાય તથા શ્રીનિવાસ બક્ષીના પિતાશ્રી.
ૐ ઘણાં વર્ષો પૂર્વેની આ પ્રકારની ખટપટની યથાર્થતા માટે ચર્ચા કરવાનું આવશ્યક છે. તે કાલે ભદ્ર પુરુષાની શક્તિને આવી જ રાજરમતામાં વ્યય થતા. તે સમયની સ્થિતિ, સંજોગા પ્રમાણે સહુએ પેાત પાતાના ભાગ ભજવ્યેા હશે, તેના ગુણદોષની ચર્ચા કરવાનું અનુચિત છે-લેખક