________________
ખાખી વંશ-ઉત્તરાધ : ૨૮૯
થયા અને નડીયાના પાટીદાર શ્રી. ગેકુલભાઈ બેરિસ્ટર, ન્યાય ખાતામાં સદર અદાલતના જજ તરીકે આવ્યા. તે સાથે ખીજા નાના મેાટા અધિકારીની પણ આયાત કરવામાં આવી.1
જૂનાગઢમાં સ્થાનિક અધિકારીઓનું નિ`ળ છતાં ગણનાપાત્ર જૂથ જુદું પડી ગયું. આ જૂથની નેતાગીરી, નવાબના અંગત મંત્રી શ્રી છેટાલાલ મથુરાદાસ બક્ષીએ સભાળી તે સાથે સર્વોચ્ચ ન્યાયાધીશ કી. કલ્યાણુરાય બક્ષી રાજય સેવાના ત્યાગ કરી ગયા.
શ્રી. છેટાલાલ બક્ષી
નવાબ રસુલખાનના રહસ્ય મંત્રી શ્રી છેટાલાલ બક્ષી તે કાલના એક ભદ્ર અને પ્રતિષ્ઠિત રાજપુરુષ હતા. તેઓ ઈ. સ. ૧૮૮૧ માં જૂનાગઢ રાજ્યના વરિષ્ટ ન્યાયાધીશના પદે નીમાયા અને ઈ. સ. ૧૮૯૨માં તેમને નવાબના હુઝુર સેક્રેટરી પદે નીમવામાં આવ્યા જ્યાંથી તેઓ નવાબના મૃત્યુ પછી ઇ. સ. ૧૯૧૧ માં નિવૃત્ત થયા. તેમને નવાબે તળીયાધર ગામ આપેલુ..
તેમના પિતા મથુરાદાસ બક્ષી જૂનાગઢ રાજયના મુખ્ય મહેસૂલી અધિકારી હતા, અને તે પૂર્વે દફતરો અને. બક્ષી દફતરના અધિકારી હતા. જ્યારે નવાબ મહાબતખાન બીજા સામે મેટા ભય ઉત્પન્ન થયા ત્યારે નવાબના ખાનગી તાશાખાના, જમદારખાના વગેરેની તેણે મેટા જોખમે રક્ષા કરેલી. તેના પિતામહ કહાનદાસ બક્ષી પણ એક ભદ્ર પુરુષ હતા. તેમણે રાજપીપળા, નંદરબાર, પાટણ, વડાદરા, પોરબંદર વગેરે સ્થળે મુલ્કી તેમજ ફૌજી નાકરી કરેલી. તેના પિતા તાપીદાસ વડેાદરા રાજ્યના દીવાન હતા. કહાનદાસને નવાબ હામેદખાને પોતાના રહસ્ય સચિવ અને બક્ષી પદે નીમેલા અને તેની નાકરીની કદર કરી વાડાસીમડી ગામ ઈનામ આપેલું. તેણે પેાતાના સમયના ઈતિહાસ આલેખતું આત્મચરિત્ર લખ્યુ છે. તાપીદાસ પણ પ્રખર રાજપુરુષ હતા. તેના ભાઈ ત્રિકમદાસ ગાયકવાડની સેવામાં હતા ત્યાં તેમણે જાગીરા અને વતન મેળવેલાં. તેના વશો આજ પણ મજમુદારા તરીકે જાણીતા છે.
1 શ્રી ગેાપાલદાસની કારકીર્દિના કેટલાક પ્રસંગો માટે જુએ ‘પિતૃતર્પણ’ શં. હ. દેશાઇ. 2 રાજકોટના આ વિખ્યાત રાજપુષ, રાજ્યકીય પરિષદના પ્રથમ પ્રમુખ, પારખ દર રાજ્યના એડમિનીસ્ટ્રેટર અને ઇડરના દીવાન હતા. કલ્યાણરાય જેઠાબક્ષીનું જીવન ચરિત્ર. ૩ અપ્રગટ.
જુ. ગિ.-૩૭