________________
૨૮૮ : જૂનાગઢ અને ગિરનાર
આ કમિશને તારીખ ૮-૧૦-૧૯૦૬ થી તારીખ ૧૭-૧૦-૧૯૦૬ સુધી તપાસ કરી તેમનું નિવેદન તારીખ ૧૮-૧૦-૧૯૦૬ના રોજ રાજય સરકારને માકલી આપ્યું; તે અનુસાર દીવાને તેને રાજ્ય પીનલ કોડની કલમ ૪૦૬ નીચે ગુનેગાર ઠરાવી રૂપિયા ૧,૫૩૦૦૦ જેટલી જ કિંમતની શ્રી ઝાલાની સ્થાવર મિલકત ખાલસા કરવા તથા રૂપિયા ૨૦,૦૦૦નો દંડ વસૂલ લેવાનો ઠરાવ કર્યાં, આ ઠરાવના આધારે શ્રી પુરુષોત્તમરાયનાં જૂનાગઢનાં મકાનો, બહાદરપુર ગામ તથા ગાંગેચાની તેની પાટી ખાલસા કરવામાં આવ્યાં.
શ્રી પુરુષોત્તમરાયના અંગત માસેા જેવા ગણાતા શ્રી જાદવરાય હરિશ’કર વસાવડા,' ભૂપતરાય ત્રિકમજી વૈષ્ણવ, રવિશંકર જીવણુજી ઘેાડા;૩ અને ખીર્ઝા અનેક અધિકારીઓને બરતરફી મળી. શ્રી જરાય તથા શ્રી ભૂપતરાયની જાગીરી પણ ખાલસા થઈ.
શ્રી પુરુષોત્તમરાયે રાજ્યના આ અન્યાયી ઠરાવ સામે અપીલ કરવા વ્યર્થ' પ્રયત્ના કર્યાં, પરંતુ રસુલખાનના મૃત્યુ પછી તેણે કરેલા પ્રયાસમાં સફળતા મળી અને હિન્દી સરકારની આજ્ઞાથી બ્રિટિશ એડમિનીસ્ટ્રેટર મિરૅન્ડલે, મિ. હાલાંડ નામના ન્યાયાધીશની નિમણૂક કરી. તેણે ફરીથી કેસ ચલાવી તારીખ ૨૫-૨-૧૯૧૮ના રાજ તનું નિવેદન મુ ંબઈ સરકારને માકલ્યું અને ત્યાંથી તારીખ ૨૨-૯-૧૯૧૮ના ઠરાવથી શ્રી. પુરુષોત્તમરાયને તેમની ખાલસા થયેલી મિલકતના બદલામાં રેાકડ રકમ આપી દેવાના ઠરાવ થયા છતાં તેને જૂનાગઢમાં પ્રવેશ કરવા સામે પ્રતિબંધ હતા તે ચાલુ રહ્યો.
ગુજરાતમાં પુરુષાત્તમદાસને ‘દાસ' અને પુરુષોત્તમરાયને ‘રાયજી’ના ટૂંકા નામથી ખેાલાવવાની પધ્ધતિ છે તે અનુસાર દીવાન હિરદાસ તેમને રાયજી કહેતા તેથી તેનું પ્રસિધ્ધ નામ રાયજી સાહેબ થઇ ગયુ
તેમનું ઇ. સ. ૧૯૩૩ના મે માસની ૮મી તારીખે મુબઈમાં અવસાન થયું,“ દીવાન ચુનીલાલ સારાભાઈની વિદાય પછી રા. બ બહેચરદાસ વિહારીદાસ ઈ. સ. ૧૯૦૩માં ચાર વર્ષીની ગેરહાજરી પછી પુન: દીવાનપદે આવ્યા. તેમના નાના ભાઈ શ્રી ગેાપાલદાસ ઉર્ફે" નાના સાહેબ, યુવરાજના મત્રીપદે નિયુકત
1 શ્રી પુંજાભાઇ તથા ઇન્દુભાઇ વસાવડાના પિતાશ્રી.
2 શ્રી પ્રમાદરાય, શ્રી જશવંતરાય, શ્રી છેટુભાઈ વૈશ્નવના પિતાશ્રી.
3 શ્રી લક્ષ્મીરાય તથા શ્રી મહેન્દ્રરાય મેાતીલાલ ધાડાના પિતામહ,
4 શ્રી. પુરુષ।ામરાયના જવનના પ્રસંગેા માટે જુઓ મંત્રીશ્વર શ્રી, રાયજી સાહેબ શ્રી. જ. પુ. જોશીપુરા.