________________
બાબી વંશ-ઉત્તરાર્ધ ઃ ૨૮૭
અયોગ્ય રીતે હસ્તક્ષેપ કરતા હતા અને તેને તેમ કરતા અટકાવી શકે તેવી વ્યકિતઓ વજીર અને નાયબ દીવાન હતા, તેથી તેઓ તેને કાંટારૂપ જણાતા હતા. આવતી ઉપાધિનાં એંધાણ અગાઉથી પામી જઈ શ્રી પુરુષેતમરાય ઈ. સ. ૧૮૯૭માં લાંબી રજા લઈ તેમની જાગીરના ગામ બહાદરપુરમાં રહેવા ચાલ્યા ગયા. દરમ્યાન યુવરાજના પાસવાને અને હઝુરીયાઓ પૈકી કેટલાકને એજન્સીની ભલામણથી નવાબ રસુલખાને હદપાર કર્યા અને આ કૃત્ય નાયબ દિવાનની ખટપટથી થયું છે તેમ માની લઈ યુવરાજની તેના પ્રત્યે વક્રદષ્ટિ થઈ. શ્રી પુરુષોત્તમરાયે બે વર્ષની રજા માગી, પરંતુ તે પણ નામંજૂર થઈ. તે પછી યુવરાજનો પક્ષ અને અન્ય વિરોધીઓ ખટપટ કરતા રહ્યા અને અંતે નવાબ રસુલખાનને પણ શ્રી પુરુષોત્તમરાય પ્રતિ અવજ્ઞા થતાં તારીખ ૧-૮-૧૯૦૩ ના રોજ તે રાજીનામું આપી જૂનાગઢમાં રહ્યા, પરંતુ તેને ત્યાં કોઈએ જવું નહિ તેવી રાખ્યાજ્ઞા થઈ. આ આજ્ઞા દીવાન ચુનીલાલને અગ્ય અને અન્યાયી જણાતાં તેને જપૂનાગઢમાં વિશેષ સમય રહેવાનું અનુચિત જણાતાં તેમણે પણ રાજીનામું આપ્યું અને તેની સાથે વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશ શ્રી ગુલાબદાસ લાલદાસ નાણાવટી પણ છૂટા થઈ તારીખ ર૭–૧૦–૧૯૭૩ ના રોજ જૂનાગઢ છેડી ગયા. તે પછી શ્રી પુરુષોત્તમરાયની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન થયાં પણ આ ચાણકય બુદ્ધિ રાજપુરુષને તેની ગંધ આવી જતાં બીજે દિવસે તે પણ જૂનાગઢ ડી ગયા.
તેમના જૂનાગઢ છોડી જવાના થોડા દિવસ પૂર્વે શ્રી પુરુષોત્તમયે, બાબી રૂલ ઓફ સોરઠી વીથ એ શર્ટ એકાઉન્ટ ઓફ ધેઅર એડમિનીસ્ટ્રેશન” અને એ સિનેસીસ ઓફ ધી ઓફિસીસ એન્ડ ડીપાર્ટમેન્ટસ ઈન ધી એડમિનીસ્ટ્રેશન ઓફ બાબી રૂલર્સ ઓફ જૂનાગઢ સ્ટેટ' નામનાં બે અંગ્રેજી પુસ્તકે, રાજય પ્રકાશન તરીકે બહાર પાડયાં. કહેવાય છે કે આ બંને પુસ્તકે, શ્રી ગુલાબદાસ લાલદાસે બહુજ ઘેડ દિવસમાં લખેલાં. આ ગ્રંથ સંક્ષિપ્તમાં ઘણુ માહિતી પૂરી પાડે છે.
શ્રી પુરુષોત્તમરાય ઝાલાએ તેના અમલ દરમ્યાન ઈ. સ. ૧૮૯૨માં રૂ. ૧,૫૩૦૦૦ની ઉચાપત કરી છે તેવો આક્ષેપ મૂકી રાજ્ય તેની તપાસ કરવા એક કમિશન નિમ્યું. તેમાં સર્વશ્રી ગુલામ મહમદ બાવાનીયાં મુનશી, ડોસાભાઈ ખરશેદજી ગાંધી અને માણેકલાલ ધારણુજીની નિમણૂક કરી. શ્રી પુરુષોત્તમયે, શ્રી ગુલામ મહમદ તથા શ્રી માણેકલાલ તેમના અંગત વિરોધી અને ઠપી છે તે વધે લેતાં તેના અવજી સર્વશ્રી જે. જે. ગઝદર અને મહમદ અમીન ફકીહની નિમણૂક કરવામાં આવી.